એપશહેર

પરિણીત વકીલે મહિલા વકીલનો રેપ કર્યો, ઓફિસમાં બોલાવીને માણ્યું શરીર સુખ

Surat Crime News: મહિલા વકીલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અનેક વખત સંબંધ બાંધનાર નીરવે દિવ્યાની માતાને અલગથી ઘર લઈને આપવાનું કહ્યું હતું. પરંતુ દિવ્યાએ નીરવની પત્ની બધી હકીકત જણાવી દેતા નીરવે તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા અને 3 મેના રોજ કોલ કરીને કહ્યું હતું કે, આવા તો મેં પાંચેક લગ્ન કર્યા છે.

Edited byદીપક ભાટી | Agencies 11 May 2022, 7:54 pm
સુરત: શહેરના વેજુ રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતી મહિલા વકીલ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પરિણીત વકીલે મહિલા વકીલને પત્ની તરીકેનો દરજ્જો તેમજ અલગ મકાન લઈ આપવાની લાલચ આપીને પહેલા ઓફિસ અને બાદમાં ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ લઈ જઈને એક કે બે નહીં પરંતુ 25 વખત સંબંધ બાંધ્યા હતા. જો કે, બાદમાં તરછોડી દેતા પીડિત મહિલા વકીલે પરિણીત વકીલ સામે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
I am Gujarat Surat Crime News
અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ


ફરિયાદ અનુસાર 2019માં દિવ્યા (નામ બદલ્યું છે)એ સિવિલમાં મેટર માટે વકીલ નીરવ રાજેશ દૂધવાલાનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2021થી નીરવ સમયાંતરે દિવ્યાને મેસેજ કરતો અને કોફી પીવા બહાર જવા માટે ઓફર કરતો હતો. 1 ઓગસ્ટ 2021ના રોજ વેસુ સ્થિત કાફેમાં બંને કોફી પીવા ગયા હતા અને ત્યારબાદ મુલાકાતો ચાલુ રહી.

આ દરમિયાન ઓક્ટોબર 2021માં નીરવ અને દિવ્યા 3 દિવસ માટે રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ નીરવે દિવ્યાને પત્નીની જેમ દરજ્જો આપવાની લાલચ આપીને ઓફિસમાં મળવા બોલાવી હતી. ત્યાં પણ નીરવે દિવ્યા સાથે શરીરસુખ માણ્યું હતું. ત્યારબાદ દિવ્યાએ જીદ કરતા નીરવે મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા અને એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમણે હનીમૂન મનાવ્યું હતું.

આ દરમિયાન 24 એપ્રિલે નીરવ દિવ્યાની ઓફિસમાં પહોંચી ગયો હતો અને બહાર ફરવા જવાનું કહેતા તેણીએ ઈનકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા નીરવે ઝઘડો કરીને મહિલાને પત્ની તરીકે રાખવાનો ઈન્કાર કરીને જતો રહ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી દિવ્યાએ નીરવની પત્નીને કોલ કરીને લગ્ન કર્યા અંગેની જાણ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

મહિલા વકીલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અનેક વખત સંબંધ બાંધનાર નીરવે દિવ્યાની માતાને અલગથી ઘર લઈને આપવાનું કહ્યું હતું. પરંતુ દિવ્યાએ નીરવની પત્ની બધી હકીકત જણાવી દેતા નીરવે તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા અને 3 મેના રોજ કોલ કરીને કહ્યું હતું કે, આવા તો મેં પાંચેક લગ્ન કર્યા છે. સેલવાસમાં તારી સાથે કરેલા લગ્નને બહુ મગજ પર ના લેતી. મહિલાની ફરિયાદ પર અઠવાલાઈન્સ પોલીસે નીરવ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story