એપશહેર

વલસાડઃટ્રક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત, બાઈકનો નીકળી ગયો કચ્ચરઘાણ

પતિ પત્ની તેના ત્રણ બાળકો સાથે બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન સર્જાયો અકસ્માત, મૃતકમાં એક નવ માસનો પુત્ર પણ

I am Gujarat 4 Sep 2020, 10:04 pm
સુરતઃ વલસાડ નેશનલ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ બાળકો સહિત પાંચના કમકમાટી ભર્યા મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો
I am Gujarat accident on valsad national highway five died
વલસાડઃટ્રક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત, બાઈકનો નીકળી ગયો કચ્ચરઘાણ


મળી રહેલી માહિતી મુજબ નવસારીના ગણદેવીમાં રહેતા અજયભાઈ પોતાના બાઈક પર વલસાડ હાઈવે પર જઈ રહ્યા હતા. બાઈક પર તેમની પત્ની અને ત્રણ સંતાનો સવાર હતા. આ દરમિયાન સુગર ફેક્ટરી ખોખરા ફળિયા નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં એક 9 માસનું બાળક પણ હતું.

પોલીસે મૃતકોના મૃતદેહોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડયા છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળકને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન 9 માસના દીકરાનું મોત નીપજ્યું હતું.

Read Next Story