એપશહેર

ભગવાને કહ્યું- સત્યના માર્ગ પર ચાલતા રહો.. મારા આશીર્વાદ તમારી સાથે છે: કેજરીવાલ

સુરતમાં આરતી બાદ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યું હતું અને લાગે છે કે ભગવાન અહિંયા છે સ્થિત છે. હું છેલ્લા કેટલાક દિવસોથી પીડામાં હતો. 3 દિવસ પહેલા મનોજ સોરઠીયા પર હુમલો થયો. તમે લોકો પણ તસવીરો જોઈ હશે, મેં પણ જોઈ હતી. તેમનું વચ્ચેથી માથું ફાડી નાખ્યું. હું 3 દિવસ સુધી ઊંધી શક્યો નહી.

Authored byદીપક ભાટી | I am Gujarat 3 Sep 2022, 10:53 pm


સુરત:
રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)જ ફોર્મમાં છે તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસમાં હજી એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. AAPના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને ગેરંટી કાર્ડ આપી રહ્યા છે. ઉપરાંત રેલીઓ અને સભાઓ પણ સંબોધી રહ્યા છે. આ બધા પરથી એવું લાગી રહ્યું છે આપે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રણશિગું ફૂકી દીધું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને પહેલા રાજકોટ અને બાદમાં સુરતમાં પાર્ટી દ્વારા આયોજિત ભગવાન ગણેશજીની મહાઆરતીમાં સામેલ થયા હતા. તેમની સાથે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને તાજેતરમાં જીવલેણ હુમલાનો ભોગ બનેલા મનોજ સોરઠીયા સહિતના લોકો સ્ટેજ પર હાજર રહ્યા હતા.
ભગવાને કહ્યું- મારા આશીર્વાદ તમારી સાથે છે?
આરતી બાદ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યું હતું અને લાગે છે કે ભગવાન અહિંયા છે સ્થિત છે. હું છેલ્લા કેટલાક દિવસોથી પીડામાં હતો. 3 દિવસ પહેલા મનોજ સોરઠીયા પર હુમલો થયો. તમે લોકો પણ તસવીરો જોઈ હશે, મેં પણ જોઈ હતી. તેમનું વચ્ચેથી માથું ફાડી નાખ્યું. હું 3 દિવસ સુધી ઊંધી શક્યો નહી. આજે જ્યારે બધાએ આરતી કરી રહ્યા હતા. ત્યારે મેં આંખો બંધ કરીને ભગવાનને પૂછ્યું કે, અમારી ભૂલ શું છે. અમે તો સત્ય અને ઈમાનદારીના રસ્તા પર ચાલી રહ્યા છે. ગરીબોની સેવા કરી રહ્યા છે તો આટલી બધી અવરોધો કેમ આવી રહ્યા છે. ત્યારે મને એક અવાજ આવ્યો, જાણે પ્રભુ કહી રહ્યા હોય કે, તમે સત્યના રસ્તા પર ચાલી રહ્યો છો તો અવરોધો આવશે. એટલે આ માર્ગ પર ચાલતા રહો, મારા આશીર્વાદ તમારી સાથે છે!
કેજરીવાલે દેશને દુનિયામાં નંબર-1 બનાવાનો સંકલ્પ કર્યો
તેમણે વધુમાં કહ્યું કે, 'મિત્રો આ અદભૂત પંડાલ છે. આજે આપણે ભગવાન ગણેશજીની સમક્ષ સંકલ્પ લઈએ કે આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીશું. આપણે એવી વ્યવસ્થા લાવવી પડશે જ્યાં દરેક બાળકને શિક્ષણ મળે અને દરેક વ્યક્તિ સુખી હોય, દેશમાં સમૃદ્ધિ આવે. ગરીબી દૂર થાય. ત્યારે જ આપણું ભારત વિશ્વનું નબર-1 દેશ બનશે.'

ગુજરાતમાં આપની સરકાર બનવાનો દાવો
ઉલ્લેખનીય છે કે, સુરત પહેલા કેજરીવાલ રાજકોટની મુલાકાતે હતા. જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળી પડ્યા હતા અને ઘરે ઘરે જઈને AAPના ગેરંટી કાર્ડ આપી વડીલોનાં ચરણોમાં શીશ નમાવી તેમને AAPને મતદાન કરવા અપીલ પણ કરી હતી. આ સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપની સરકાર બનવાનો પણ દાવો કર્યો હતો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story