એપશહેર

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ જીવન ટૂંકાવ્યું, 6 વ્યક્તિને જવાબદાર ઠેરવી

આપઘાત કરતા પહેલા જે લોકો ત્રાસ આપતા હતા તેમના નામ સુસાઈડ નોટમાં લખ્યા હતા. મૃતકે સુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામ સાથે પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ઠેરવ્યા છે

I am Gujarat 20 Oct 2020, 5:58 pm
સુરત: સુરતના હજીરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી વેપારી યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેતન સોપારીવાળા નામના વેપારીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ વેપારીએ ઝેરી દવા પીધી હોવાનો આત્મહત્યા ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના અંગેની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
I am Gujarat q6


વ્યાજખોરોના ત્રાસની સાથે-સાથે મારી નાખવાની ધમકીના કારણે કંટાળી ગયેલો આ વેપારી યુવાન ઘરમાંથી 10 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે સુરતના હજીરા ખાતે તેની લાશ મળી આવી હતી. આ યુવાને આપઘાત કરતા પહેલા જે લોકો ત્રાસ આપતા હતા તેમના નામ સુસાઈડ નોટમાં લખ્યા હતા. મૃતકે સુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામ સાથે પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના અડાજણના કેતન સોપારીવાળાના ગાયબ થવા અંગેની જાણ 10 દિવસ પહેલાં પોલીસને કરવામાં આવી હતી. દરમિયાન કેતન સોપારીવાળાની લાશ હજીરા દરિયા કિનારેથી મળી આવી હતી, અને સાથે સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

સુરતના હજીરા વિસ્તારમાં વેપારી કેતન સોપારીવાળાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કેતન સોપારીવાળાનું બાઈક પણ મળી આવ્યું છે અને ઝેરી દવા પણ મળી આવી હતી. વેપારીએ લખેલી સુસાઈડ નોટમાં ત્રાસ આપનાર મનહર ઘીવાળા, કૈલાશબેન ઘીવાળા, મિહીર વિરાણી, આશિષ તમાકુવાળા અને સંજયભાઈ નામની વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે એવું પણ લખ્યું છે કે આ લોકોને મેં પૈસા ચૂકવી દીધા છતાં તેઓ મને હેરાન કરે છે.

Read Next Story