એપશહેર

સુરતમાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બંને પક્ષો સામ-સામે આવતા પોલીસ દોડતી થઈ

Surat Crime News: સુરતના સરથાણા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કરતા અનેક વાહનોના કાચ તૂટ્યા હોવાના અહેવાલ છે. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને એકની અટકાયત કરતા મામલો ઉગ્ર બની ગયો.

Edited byદીપક ભાટી | Agencies 19 Nov 2022, 11:32 pm
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હોવાનું કહેવાઈ રહ્યું છે. ચૂંટણીના મેદાનમાં ભાજપ-આપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સુરતના સરથાણા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે.
I am Gujarat Surat


બંને પક્ષ સામ-સામે આવતા મામલો બિચક્યો
મળતી માહિતી અનુસાર બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કરતા અનેક વાહનોના કાચ તૂટ્યા હોવાના અહેવાલ છે. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને એકની અટકાયત કરતા મામલો ઉગ્ર બની ગયો. આ સાથે એવી માહિતી મળી છે કે, આપની સભામાં ખુરશી ઉછળતાં મામલો તંગ બન્યો હતો અને નજીકમાં ભાજપ કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

મીડિયો રિપોર્ટ અનુસાર સરથાણા યોગીચોક પાસે આ ઘટના બની હતી. જેમાં ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP ગુજરાત દ્વારા કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરાયુ હતું. જેના બાદ બબાલ થઈ હતી. બબાલ એટલી હદે વધી કે, સામસામે પથ્થરમારો કરાયો હતો. માહોલ તંગ થતા પોલીસ કાફલો અને BSF જવાનો પહોંચી ગયા અને મામલો થાળે પાડ્યો હતો.

આપ ભાજપને હરાવવા કરી રહી છે મથામણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આપે પણ જબરજસ્ત પ્રચાર કરીને સત્તામાં આવવા માટે મથામણ કરી રહી છે. પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને રાજ્યના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા, તો ગોપાલ ઈટાલિયા પ્રદેશ પ્રમુખે રહીને જીત માટેની રણનીતિ ઘડી રહ્યા છે. ઈટાલિયા પોતે પણ સુરતના કતારગામથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. બીજી તરફ આજે વલસાડ ખાતે પીએમ મોદીએ પણ આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાજપે શરૂ કર્યો મેગા પ્રચારગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મેગા પ્રચાર શરૂ કર્યો છે. જ્યાં શુક્રવારે બીજેપીના 26 મોટા નેતાઓએ 56 રેલીઓ કરી હતી, ત્યાં હવે પીએમ મોદીએ આજથી 3 દિવસના પ્રચારની શરૂઆત કરી છે. આગામી દિવસોમાં તેમની 25 રેલીઓનો કાર્યક્રમ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ તેમાં કોઈ કસર છોડવા માંગતી નથી. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story