એપશહેર

સુરતઃ કોરોનાની સ્થિતિ ફરી વણસે તેવી સ્થિતિ, ગંભીર દર્દીઓની સંખ્યા વધી

સુરતમાં શિયાળામાં કોરોનાની સ્થિતિ વણસે તેવા હાલ છે. શહેરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

Agencies 27 Oct 2020, 9:37 am
સુરતમાં શિયાળામાં કોરોનાની સ્થિતિ ફરીથી વણસશે તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે. શહેરમાં ધીમે-ધીમે ફરીથી ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે સિવિલ અને SMIMER હોસ્પિટલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. હાલ સિવિલમાં કોરોનાના 87 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 56 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે 7 વેન્ટિલેટર પર, 8 બાઈપેપ અને 41 દર્દીઓ ઓક્જિસન પર છે.
I am Gujarat surat corona


SMIMER હોસ્પિટલની વાત કરીએ તો, ત્યાં હાલ કોરોનાના 73 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 62 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. 10 દર્દી વેન્ટિલેટર પર, 13 બાઈપેપ અને 39 દર્દીઓ ઓક્સિજન પર છે. આમ આ બંને હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યા 118એ પહોંચી છે.

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સોમવારે પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે નવા 228 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 35,786 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 998એ પહોંચ્યો છે. સોમવારે શહેરમાંથી 173 અને જિલ્લામાંથી 82 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ડિસ્ચાર્જ થયેલા થયેલા દર્દીઓની સંખ્યા 32,977એ પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1,811 એક્ટિવ કેસ છે.

શહેરના ડોક્ટરોનું કહેવું છે કે, સરકારી આંકડાઓની બીજી તરફની હકીકત એ પણ છે કે એન્ટિજન ટેસ્ટના આંકડાઓ પોઝિટિવ કેસની યાદીમાં સામેલ કરાતા નથી. નહીં તો આ કેસનો આંકડો અનેકગણો મોટો હોય તેવી શક્યતા છે. બીજી તરફ શહેરની ખાનગી હોસ્પિલો અને દવાખાનામાં કોરોનાના લક્ષણો તેમજ CRP બ્લડ ટેસ્ટ અને HRCT રિપોર્ટના આધારે કોરોના સંક્રમિત હોવાનું નિદાન કરીને સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધી છે, તેમ પણ ડોક્ટરોએ કહ્યું હતું.

Read Next Story