એપશહેર

Shraddha Murder: શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન! સુરતનો પેડલર આફતાબને પહોંચાડતો હતો ડ્રગ્સ?

Shraddha Walkar Murder Case: ગુજરાત પોલીસે સુરતના એક ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. ફૈઝલ પર આફતાબને ડ્રગ્સ સપ્લાયર કરવાની શંકા છે. તે મુંબઈના વસઈ ઈસ્ટમાં આફતાબના વિસ્તારમાં રહેતો હતો. ફૈઝલ અને આફતાબના કેટલાંક કોમન ફ્રેન્ડ પણ છે અને ગુજરાત પોલીસ હવે ફૈઝલના કૉલ રેકોર્ડની તપાસ કરશે. જેથી જાણી શકાય કે આફતાબ તેના સંપર્કમાં કેવી રીતે આવ્યો.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 28 Nov 2022, 12:10 pm

હાઈલાઈટ્સ:

  • આફતાબને ડ્રગ્સ સપ્યાલ કરતા સુરતના પેડલરને પોલીસે ઝડપ્યો
  • ગુજરાત પોલીસ હવે ફૈઝલના કૉલ રેકોર્ડની તપાસ કરશે
  • જેથી જાણી શકાય કે આફતાબ તેના સંપર્કમાં કેવી રીતે આવ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat delhi shraddha murder case
ફૈઝલ અને આફતાબના કેટલાંક કોમન ફ્રેન્ડ પણ છે અને ગુજરાત પોલીસ હવે ફૈઝલના કૉલ રેકોર્ડની તપાસ કરશે.
Shraddha Murder case: શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ આજે ચાલુ રહેશે. આફતાબ અમીન પૂનાવાલા પર પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરવાનો આરોપ છે. બીજી તરફ, એવું પણ સામે આવ્યું છે કે, આફતાબને ગુજરાતના સુરતનો એક ડ્રગ્સ પેડલર ડ્રગ્સ પહોંચાડતો હતો. જેથી પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આફતાબના પોલીગ્રાફ ટેસ્ટના બે તબક્કા બાકી છે. જે સોમવારે અને મંગળવારે પૂરો કરવામાં આવી શકે છે. એ પછી ડિસેમ્બરમાં નાર્કો ટેસ્ટ થવાની સંભાવના છે. દિલ્હીમાં રોહિણી વિસ્તારમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોલીગ્રાફ ટેસ્ટ થશે. આ પહેલાં ત્રણ વાર પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે, પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલીસ મુખ્ય રીતે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આફતાબ સિરિયલ કિલર તો નથી કે, કારણ કે તેના કેટલીક છોકરીઓ સાથેના સંબંધ સામે આવ્યા છે.
આફતાબને ડ્રગ્સ સપ્લાય કરતો ગુજરાતનો પેડલર ઝડપાયો
શ્રદ્ધા મર્ડર કેસમાં રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે પોલીસે આરોપી આફતાબ પૂનાવાલા વિરુદ્ધ ડ્રગ્સનું સેવન કરવા મામલે તપાસ હાથ ધરી છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ આરોપી આફતાબ વિશે એવું સામે આવ્યું છે કે, તે કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. આ દરમિયાન ગુજરાત પોલીસે સુરતના એક ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીનને ઝડપ્યો છે. ફૈઝલ પર આફતાબને ડ્રગ્સ સપ્યાલ કરવાની શંકા છે. તે મુંબઈના વસઈ ઈસ્ટમાં આફતાબના જ વિસ્તારમાં રહેતો હતો. જ્યાં આફતાબ શ્રદ્ધાની સાથે દિલ્હી શિફ્ટ થયો એ પહેલાં ભાડાના મકાનમાં રહેતો હતો.
Shraddha Murder: તિહાડ જેલમાં બંધ આફતાબ પર કેમ 24 કલાક કેમેરાથી રાખવામાં આવી રહી છે વોચ?ફૈઝલના કૉલ રેકોર્ડ તપાસાશે
ફૈઝલ અને આફતાબના કેટલાંક કોમન ફ્રેન્ડ પણ છે અને ગુજરાત પોલીસ હવે ફૈઝલના કૉલ રેકોર્ડની તપાસ કરશે. જેથી જાણી શકાય કે આફતાબ તેના સંપર્કમાં કેવી રીતે આવ્યો. નોંધનીય છે કે, આફતાબ અને શ્રદ્ધાના કેટલાંક મિત્રોએ કહ્યું છે કે, આફતાબ ડ્રગ્સનું સેવન કરતો હતો. તો પોલીસ શ્રદ્ધાના મુંબઈવાળા દોસ્તોના પણ સંપર્કમાં છે, જેથી વધુ માહિતી મેળવી શકાય.

એ મહિલા ઘરે આવી ત્યારે ટૂકડા ફ્રિજમાં હતા
આ દરમિયાન પોલીસે એક મહિલાની પણ પૂછપરછ કરી છે કે જે હત્યા બાદ આફતાબના ફ્લેટ પર આવી હતી. પોલીસે કહ્યું કે, તે એક ડેટિંગ એપ દ્વારા મહિલા મનોવૈજ્ઞાનિકના સંપર્કમાં આવ્યો હતો. પછી આફતાબે આ મહિલાને પોતાના ઘરે બોલાવી હતી. તપાસ કરતા સૂત્રોનું માનીએ તો, જ્યારે આ મહિલા આફતાબના ઘરે આવી ત્યારે શ્રદ્ધાની શરીરના ટૂકડા એ સમયે ફ્રિજમાં જ હતા.
પાદરામાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ 123 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, તમામ સારવાર હેઠળ
હજુ સુધી કરવત મળી નથી
શુક્રવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થયો. હવે તેનો નાર્કો ટેસ્ટ ટૂંક સમયમાં થશે. પોલીસે તેના ફ્લેટમાંથી પાંચ ચાકુ પણ કબજે કર્યા છે. આ ચાકુઓને ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એ જાણવા માટે કે આફતાબે હત્યા માટે આનો ઉપયોગ કર્યો હતો કે નહીં. પોલીસે અગાઉ પણ કહ્યું હતું કે, લાશને કાપવા માટે ઉપયોગમાં લેવાયેલી કરવત હજુ સુધી કબજે થઈ શકી નથી. બીજી તરફ, જંગલમાંથી મળેલા શરીરના અંગ ખરેખરમાં શ્રદ્ધાના છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે ડીએનએ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
Read Latest Surat News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story