દિવસમાં 35વાર પેશાબ કરવા જવું પડતું, સર્જરી બાદ સુરતના યુવકને મળી નવી જિંદગી
એક ખોડ સાથે જન્મેલા સુરતના યુવકથી પેશાબ રોકી શકાતો નહોતો, રાત્રે સૂતી વખતે પણ ડાયપર પહેરવું પડતું.
I am Gujarat 21 Jan 2021, 1:50 pm
સુરત: 18 વર્ષની ઉંમરે પણ ડાયપર પહેરીને ઊંઘવું પડે તે વ્યક્તિની સ્થિતિ કેવી થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે, એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા સુરતના પ્રતિકને 18 જાન્યુઆરીએ જીવનમાં પહેલીવાર ડાયપર પહેર્યા વિના ઊંઘવા મળ્યું. એક ખોડ સાથે જન્મેલા પ્રતિકને રાત્રે પણ વારંવાર પેશાબ કરવા ઉભું થવું પડતું હતું, અને જો ડાયપર પહેરીને ના ઊંઘે તો પથારીમાં જ પેશાબ થવાનો ડર રહેતો હતો.
પ્રતિકને જન્મથી સ્પાઈના બિફિડા નામની એક ખોડ હતી. સ્પાઈન અને સ્પાઈનલ કોડ વ્યવસ્થિત રીતે ફોર્મ ના થયા હોય ત્યારે આ સમસ્યા સર્જાય છે. જેના કારણે પ્રતિક પર ડોક્ટરોને બ્લેડર સર્જરી કરીને તેના ન્યૂરોજેનિક બ્લેડરને ઠીક કરવું પડ્યું હતું. 18 વર્ષથી રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવાની તકલીફથી પીડાતા પ્રતિકને આખરે આ સર્જરી બાદ પહેલીવાર રાત્રે વ્યવસ્થિત ઊંઘ આવી હતી.
સુરત સ્થિત યુરોલોજિસ્ટ ડૉ. સુબોધ કાંબલેના જણાવ્યા અનુસાર, સર્જરી થઈ તેની પહેલી જ રાતે પ્રતિક નવ કલાક સુધી ઊંઘ્યો હતો. પ્રતિક ત્રણ મહિનાનો હતો ત્યારે તેના પર પહેલીવાર સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ તે આઠ વર્ષનો થયો ત્યારે ફરી સર્જરી થઈ હતી. જોકે તેને ન્યૂરોજેનિક બ્લેડરની સમસ્યા હતી. જેના કારણે મગજ, કરોડરજ્જુ કે પછી નર્વ પ્રોબ્લેમને કારણે વ્યક્તિ પેશાબ પર કંટ્રોલ નથી કરી શકતો.
બ્લેડર પર કંટ્રોલ ના હોવાના કારણે પ્રતિકને દિવસ દરમિયાન 25વાર અને રાત્રે 10વાર પેશાબ કરવા જવું પડતું. તે ગંભીર પ્રકારના યુરીન લીકેજથી પીડાઈ રહ્યો હતો. ડૉ. કાંબલેએ જણાવ્યું હતું કે સ્પાઈના બિફિડા સાથે જન્મેલા બાળક પર સર્જરી કરવી જરુરી હોય છે, જેથી કરોડરજ્જુ અને નર્વ્સને વધુ ઈજા કે ઈન્ફેક્શન ના થાય. આ સર્જરી બાદ લગભગ 60 ટકા બાળકોને યુરીન લીકેજનો પ્રોબ્લેમ થાય છે, જેને ન્યૂરોજેનિક બ્લેડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
પેશાબને રોકવા માટે આપણા સ્નાયુ અને નર્વ્સ સાથે મળીને કામ કરે તે જરુરી હોય છે. પરંતુ ન્યૂરોજેનિક બ્લેડરમાં મગજ તરફથી પેશાબ રોકવા માટે મળેલો મેસેજ નર્વ્સ બ્લેડર સુધી નથી પહોંચાડી શકતા. કરોજરજ્જુ, મગજ અને નર્વ્સ વચ્ચે સંયોજન ના થવાના કારણે આ તકલીફથી પીડાતા દર્દી પેશાબને રોકી નથી શકતા. ઘણીવાર વ્યક્તિ ટોઈલેટ સુધી પહોંતે તે પહેલા જ તેમને પેશાબ થઈ જતો હોય છે.
આ તકલીફને દૂર કરવા માટેની સર્જરી ટેલીસ્કોપથી થાય છે, અને તેના માટે શરીરમાં કોઈ કટ મૂકવાની પણ જરુર નથી પડતી. (દર્દીનું નામ બદલ્યું છે.)
પ્રતિકને જન્મથી સ્પાઈના બિફિડા નામની એક ખોડ હતી. સ્પાઈન અને સ્પાઈનલ કોડ વ્યવસ્થિત રીતે ફોર્મ ના થયા હોય ત્યારે આ સમસ્યા સર્જાય છે. જેના કારણે પ્રતિક પર ડોક્ટરોને બ્લેડર સર્જરી કરીને તેના ન્યૂરોજેનિક બ્લેડરને ઠીક કરવું પડ્યું હતું. 18 વર્ષથી રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવાની તકલીફથી પીડાતા પ્રતિકને આખરે આ સર્જરી બાદ પહેલીવાર રાત્રે વ્યવસ્થિત ઊંઘ આવી હતી.
સુરત સ્થિત યુરોલોજિસ્ટ ડૉ. સુબોધ કાંબલેના જણાવ્યા અનુસાર, સર્જરી થઈ તેની પહેલી જ રાતે પ્રતિક નવ કલાક સુધી ઊંઘ્યો હતો. પ્રતિક ત્રણ મહિનાનો હતો ત્યારે તેના પર પહેલીવાર સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ તે આઠ વર્ષનો થયો ત્યારે ફરી સર્જરી થઈ હતી. જોકે તેને ન્યૂરોજેનિક બ્લેડરની સમસ્યા હતી. જેના કારણે મગજ, કરોડરજ્જુ કે પછી નર્વ પ્રોબ્લેમને કારણે વ્યક્તિ પેશાબ પર કંટ્રોલ નથી કરી શકતો.
બ્લેડર પર કંટ્રોલ ના હોવાના કારણે પ્રતિકને દિવસ દરમિયાન 25વાર અને રાત્રે 10વાર પેશાબ કરવા જવું પડતું. તે ગંભીર પ્રકારના યુરીન લીકેજથી પીડાઈ રહ્યો હતો. ડૉ. કાંબલેએ જણાવ્યું હતું કે સ્પાઈના બિફિડા સાથે જન્મેલા બાળક પર સર્જરી કરવી જરુરી હોય છે, જેથી કરોડરજ્જુ અને નર્વ્સને વધુ ઈજા કે ઈન્ફેક્શન ના થાય. આ સર્જરી બાદ લગભગ 60 ટકા બાળકોને યુરીન લીકેજનો પ્રોબ્લેમ થાય છે, જેને ન્યૂરોજેનિક બ્લેડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
પેશાબને રોકવા માટે આપણા સ્નાયુ અને નર્વ્સ સાથે મળીને કામ કરે તે જરુરી હોય છે. પરંતુ ન્યૂરોજેનિક બ્લેડરમાં મગજ તરફથી પેશાબ રોકવા માટે મળેલો મેસેજ નર્વ્સ બ્લેડર સુધી નથી પહોંચાડી શકતા. કરોજરજ્જુ, મગજ અને નર્વ્સ વચ્ચે સંયોજન ના થવાના કારણે આ તકલીફથી પીડાતા દર્દી પેશાબને રોકી નથી શકતા. ઘણીવાર વ્યક્તિ ટોઈલેટ સુધી પહોંતે તે પહેલા જ તેમને પેશાબ થઈ જતો હોય છે.
આ તકલીફને દૂર કરવા માટેની સર્જરી ટેલીસ્કોપથી થાય છે, અને તેના માટે શરીરમાં કોઈ કટ મૂકવાની પણ જરુર નથી પડતી. (દર્દીનું નામ બદલ્યું છે.)