એપશહેર

સુરતઃ ચર્ચામાં જેઠ-દેરાણીનું પ્રેમપ્રકરણ, વારંવાર પતિ નાનાભાઈના ઘરે જતો હતો અને એક દિવસ....

Gaurang Joshi | I am Gujarat 22 Jul 2020, 8:36 pm

સુરતઃ લગ્ન પછી બાહ્ય સંબંધો કેટલીકવાર પરિવારને વેરવિખેર કરી નાખતા હોય છે. બાહ્ય પ્રેમસંબંધમાં ભાન ભૂલેલી વ્યક્તિને શું કરી રહ્યો છે તેનું ભાન પણ સુદ્ધાં હોતું નથી. સુરતનું વેવાઈ-વેવાણ પ્રકરણ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જોકે, આ પછી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પરિણીત મોટાભાઈને તેના નાનાભાઈની પત્ની સાથે આંખો મળી જતાં બન્ને ભાગી ગયા હતાં. આ ઘટનાની પત્નીને જાણ થતાં તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સમાજની મર્યાદા નેવે મૂકી, નાનાભાઈની પત્ની સાથે ભાગ્યો પતિ

I am Gujarat elder brother ran away with the younger brothers wife in surat
સુરતઃ ચર્ચામાં જેઠ-દેરાણીનું પ્રેમપ્રકરણ, વારંવાર પતિ નાનાભાઈના ઘરે જતો હતો અને એક દિવસ....

પત્નીએ પોલીસમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, તેનો પતિ વારંવાર નાનાભાઈના ઘરે જતો હતો. જેથી તેને પતિ પર શંકા ગઈ હતી. આખરે પતિ સમાજની મર્યાદા નેવે મૂકીને નાનાભાઈની પત્ની સાથે જ ભાગી જતાં હવે પત્નીએ પોતાના પતિ અને દિયરની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે, પતિ ભાગી જતાં હવે બાળકોને પણ રઝડવાનો વારો આવ્યો છે.

ફરિયાદમાં પત્નીએ કર્યા આ આરોપો
પત્નીએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિ સામે ઘણાં જ ચોંકાવનારા આરોપો પણ કર્યા છે. પતિ નાનાભાઈની પત્ની સાથે જ ભાગી જતાં પહેલા તો પરિવારજનોએ બન્નેને શોધવા માટે આકાશ-પાતાળ એક કર્યું હતું પરંતુ ત્યારબાદ જાણ થઈ હતી કે બન્ને ઘરેથી ભાગી ગયા છે અને લિવ ઈન રિલેશનશીપમાં રહી રહ્યાં છે. આ ખબર પડતાં જ પત્નીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પત્નીએ અરજીમાં એ પણ જણાવ્યું છે કે, તેનો પતિ મારકૂટ કરતો હતો અને ચોરીછૂપે દારુ પણ વહેંચતો હતો.

વારંવાર નાનાભાઈના ઘરે જતો હતો પતિ
પત્નીએ અરજી આપી છે તેમાં જણાવ્યું છે કે, પતિ વારંવાર તેના નાનાભાઈના ઘરે જતો હતો. જેથી પત્નીને શંકા ગઈ હતી. જ્યારે લોકડાઉનમાં નાનોભાઈ અને તેની પત્ની વતનમાં પરત આવ્યા ત્યારે પાછળ પાછળ પતિ પણ વતનમાં આવતા શંકા વધુ મજબૂત બની હતી. ત્યારબાદ એક વાર પતિને દિયરની પત્ની સાથે જોઈ જતાં સાસરિયા સહિતના સંબંધીઓને આ વાતની જાણ કરી હતી. જોકે, આખરે 16 જૂનના રોજ પતિ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો હતો.

આ પહેલા ચર્ચામાં હતું વેવાઈ-વેવાણ પ્રકરણ
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સુરતના વેવાઈ અને નવસારીની વેવાણ વચ્ચે ભૂતકાળનો પ્રેમ પાંગરતા બન્ને ભાગી ગયાં હતાં. શહેરમાં આ કિસ્સો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. સોશિયલ મીડિયાથી લઈને ચૌરેને ચૌટે આ જ કિસ્સાની ચર્ચા હતી. હજુ આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં જ શહેરમાં જેઠ-દેરાણીનું પ્રેમપ્રકરણ બહાર આવતા ચકચાર મચી છે.

Read Next Story