એપશહેર

દારુની લતને કારણે છૂટાછેડા થયા, 11 વર્ષીય દીકરીએ કોર્ટને કહ્યું- ‘પિતા દારુ પીને મારે છે, દાદી સાથે રહેવું છે’

સુરતની કોર્ટમાં સર્જાયા લાગણી ભીના દ્રશ્યો- પિતા દાદીની જાણબહાર દીકરીને અનાથઆશ્રમ મુકી આવ્યા, પૌત્રીને પાછી મેળવવા દાદીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા.

I am Gujarat 28 Jul 2021, 2:49 pm

હાઈલાઈટ્સ:

  • દાદી-પૌત્રીનો પ્રેમ જોઈને કોર્ટમાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા.
  • કોર્ટના આદેશને કારણે 11 વર્ષીય એક બાળકીનું દાદી સાથે મિલન થયું.
  • દારુની લતને કારણે બાળકીના માતા-પિતા અલગ થઈ ગયા હતા.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat udhna case
કોર્ટ એવી જગ્યા છે જ્યાં દરરોજ વિવિધ પ્રકારના કેસ સામે આવતા હોય છે. સુરતની કોર્ટમાં આવો જ એક કેસ સામે આવ્યો હતો જે જોઈને જજ સહિત ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. અહીં 11 વર્ષીય એક પૌત્રીનું તેના દાદી સાથે મિલન થયુ હતું. આખરે પોતાના દાદીને મળી શકવાને કારણે 11 વર્ષની માસૂમ છોકરી પણ ભાવુક થઈ ગઈ હતી.
સમગ્ર કેસની વિસ્તારપૂર્વક વાત કરીએ તો ઉધના વિસ્તારમાં રહેતા 54 વર્ષીય વૃદ્ધા જીજાબેને પોતાની 11 વર્ષીય પૌત્રીને રુસ્તમપુરા વિસ્તારમાં આવેલા ઢીંક ચીકા હાઉસ નામના અનાથઆશ્રમમાં ગેરકાયદેસર રીતે મુકી આવવાને કારણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે સર્ચ વોરંટથી પૌત્રીનો કબજો મેળવવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી. સુનાવણી દરમિયાન વૃદ્ધા તરફથી વકીલે જણાવ્યુ હતું કે જીજાબેનના સૌથી મોટા પુત્ર શાંતિલાલના બાર વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા થયા હતા. તેમણે ચાર વર્ષ પહેલા પત્નીથી છૂટાછેડા લીધા હતા.

રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય, સુરતમાં અશાંત ધારાની મુદત પાંચ વર્ષ લંબાવી

શાંતિલાલના ત્રણ બાળકો હતા, જેમાંથી એક સંતાનનો કબજો પત્ની પાસે છે અને બાકીના બે સગીર સંતાનનો કબજો શાંતિલાલ પાસે હતો. શાંતિલાલને દારુની લત હોવાને કારણે આ બન્ને બાળકોનો ઉછેર તેમના માતા એટલે કે જીજાબેન કરતા હતા. ઉલ્લેખનીય છે કે શાંતિલાલના પત્ની સાથે છૂટાછેડા પણ દારુની લતને કારણે જ થયા હતા. લગભગ એક મહિના પહેલા શાંતિલાલે પોતાની 11 વર્ષીય દીકરીને જીજાબેનની જાણ બહાર અનાથઆશ્રમને સોંપી દીધી હતી.

સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ કોન્સ્ટેબલે FIR નોંધાવી

11 વર્ષીય પૌત્રીએ પોતાના દાદીને ફોન કરીને કહ્યુ હતું કે, પપ્પા મને અનાથઆશ્રમ મુકી ગયા છે, પરંતુ મારે તમારી સાથે રહેવું છે. જીજાબેન અનાથઆશ્રમ પહોંચ્યા હતા પરંતુ સંચાલકોએ તેમની મુલાકાત ના થવા દેતા આખરે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટના સર્ચ વોરંટને કારણે અનાથઆશ્રમના સંચાલકો બાળકી સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા. બાળકીએ કોર્ટમાં કહ્યું કે, મારા પિતા દારુ પીને ત્રાસ આપે છે. અને હું મારા દાદી સાથે રહેવા માંગુ છું. કોર્ટે વૃદ્ધ દાદીને પૌત્રીનો કબજો સોંપ્યો હતો. આ જોઈને કોર્ટમાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

Read Next Story