એપશહેર

સુરતના શાળામંડળે 6300 વિદ્યાર્થીઓની અંદાજિત 2 કરોડની ફી કરી માફ

Gaurang Joshi | I am Gujarat 28 Jun 2020, 5:27 pm
સુરતઃ કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વમાં પોઝિટિવ કેસ એક કરોડને પાર થયા છે તો ભારતમાં પણ સ્થિતિ વકરી રહી છે. ભારતમાં પોઝિટિવ કેસ પાંચ લાખને પાર થયાં છે તો ગુજરાતમાં પણ હાલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી વચ્ચે શાળાઓ દ્વારા ફીને લઈને અનેક વિવાદો થઈ રહ્યાં છે ત્યારે સુરતના શાળામંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફી માફીનો નિર્ણય કરાયો હતો. ઈશ્વરલાલ મોતીરામ જિનવાલા કેળવણી મંડળ દ્વારા 6300 વિદ્યાર્થીઓને આશરે 2 કરોડની ફી માફ કરી છે. જેથી મહામારીના આ સમયમાં વાલીઓએ પણ રાહતની લાગણી સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો6300 વિદ્યાર્થીઓની સ્કૂલ ફી માફસુરતના 35 વર્ષ જૂના શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા પ્રિ-પ્રાયમરીમાં 6 મહિનાની અને ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને 3 મહિનાની ફી માફીનો નિર્ણય મહામારીમાં વાલીઓને આર્થિક મોરચે રાહત આપનારો બની રહેશે. લાલદરવાજા સ્થિત લીલાબા વિદ્યાસંકુલ સાથે જોડાયેલી 6 શાળામાં અભ્યાસ કરતાં 6300 જેટલા વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવતા વાલીઓ પણ ખુશખુશાલ છે.
પ્રફુલભાઈ શાહ (પ્રેસિડન્ટ),મુકુંદભાઈ જરીવાલા (સેક્રેટરી),કલ્પેશભાઈ ગાંધી (કેમ્પસ ડિરેક્ટર)35 વર્ષ જૂના ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય35 વર્ષ જૂનું ઈશ્વરલાલ મોતીરામ જિનવાલા કેળવણી મંડળ, લાલદરવાજા તેમજ સુમુલ ડેરી રોડ મુકામે છેલ્લાં 35 વર્ષથી ચાલતી સંસ્થા છે. કોરોના વાયરસની મહામારીના સંજોગોમાં આ મંડળ સંચાલિત શાળાઓના પ્રમુખ પ્રફુલચંદ્ર એ. શાહ, મંત્રી મુકુંદભાઈ બી જરીવાળા તથા મંડળના ટ્રસ્ટીઓ દ્વારા ગોદાવરીબેન ઠાકોરદાસ શિશુનિકેતન (ગુજરાતી માધ્યમ) તથા એમ.યુ.એસ. પ્રિ-પ્રાયમરી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ (સુમુલ ડેરી રોડ શાખા) માટે શૈક્ષણિક વર્ષ 2020-21 ની છ માસિક ફી માફી કરી વાલીઓને આ વિકટ પરિસ્થિતિમાં રાહત આપી છે. જેથી વાલીઓ પણ ખુશખુશાલ છે.વાલીઓને થયો હાશકારોઆ જ મંડળ દ્વારા સંચાલિત અન્ય ચાર પ્રાથમિક શાળાઓ તેમજ લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યા વિદ્યાલય(પ્રાથમિક વિભાગ), પુ.હ.પટેલ સંસ્કાર વિદ્યામંદિર, એમ.યુ.એસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ (પ્રાયમરી/સેકન્ડરી/હા.સેકન્ડરી) તેમજ તરુણકાન્તા વસંતલાલ જરીવાળા કુમાર વિદ્યાલય(પ્રાથમિક વિભાગ/માધ્યમિક વિભાગ)ના વાલીઓ માટે વર્ષ 2020-21ના કપરા સમયમાં ત્રિમાસિક ફી માફી કરી માનવતાવાદી અભિગમ દાખવી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાલીઓએ સંસ્થાનો આ સેવાભાવી નિર્ણય બિરદાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

Read Next Story