એપશહેર

નારેશ્વર: નર્મદા નદીમાં સુરતના 5 યુવાનો તણાયા, 2ના મોત

Hitesh Mori | I am Gujarat 31 Oct 2019, 10:00 pm
વડોદરાઃ દિવાળીના વેકેશનમાં ગુજરાતભરના ધાર્મિક સ્થાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. નર્મદા નદીના કિનારે નારેશ્વર ખાતે ફરવા આવેલા સુરતના પાંચા યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી સ્થાનિકોએ ત્રણને બચાવી લીધા જ્યારે 2ના મોત થયા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો મળી રહેલી માહિતી મુજબ સુરતના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો નારેશ્વર ખાતે ફરવા માટે આવ્યા હતા. બપોર બાદ આ યુવાનો નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા. જેમાંથી પાંચ યુવાનો ડૂબી જતા બચાવવા માટે બૂમો પાડતા હતા. ડૂબી રહેલા યુવકોને બચાવા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા. જે પૈકી 3 યુવાનોને બચાવી લેવાયા. અન્ય બે યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ તેમને બચાવી શકાયા નહીં. અંતે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. કરણજણ પોલીસે આ મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો