એપશહેર

સુરતઃ બે દિવસ ઓવરબ્રિજ પર નહીં ચલાવાય ટુ-વ્હીલર, પોલીસનું જાહેરનામું

Hitesh Mori | I am Gujarat 11 Jan 2019, 7:03 pm
I am Gujarat flyover banned for 2 wheelers in uttrayan by surat police
સુરતઃ બે દિવસ ઓવરબ્રિજ પર નહીં ચલાવાય ટુ-વ્હીલર, પોલીસનું જાહેરનામું


ઓવરબ્રીજ પર ટુ-વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ

પ્રતિકાત્મક તસવીર ઉત્તરાયણ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ટુ-વ્હીલર વાહનચાલકોનું ટેન્શન વધી જાય છે. આવા સમયે કાતિલ દોરીથી બચવા માટે સુરત પોલીસે ઉત્તરાયણના બે દિવસ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલર વાહન ચાલકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

સામાન્ય રીતે ઉત્તરાણના તહેવારમાં કાચના પાઉડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા માંજા (દોરી)ને કારણે અનેક અકસ્માતો થાય છે. જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર વાહનચાલકો હોય છે. આવા અકસ્માતથી શહેરીજનોને બચાવવા માટે સુરત પોલીસે વિવાદીત જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે તારીખ 14 અને 15 જાન્યુઆરી બે દિવસ શહેરના તમામ ફ્યાય ઓવરબ્રિજ ઉપર બંને સાઈડથી ટુ-વ્હીલર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

નિયમનો ભંગ કરશો તો થશે દંડ

આ પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો ફ્લાય ઓવરબ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરી શકશે. જો કોઈ નિમયનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાવધાની પૂર્વક ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો