એપશહેર

વૃક્ષો ઉખાડ્યા અને ઉપરથી રોકનારા પિતા-પુત્રને માર માર્યો, કોર્ટે સુરતના ચાર ટીખળખોરોને ફટકારી જેલની સજા

સુરતની કોર્ટ દ્વારા ચાર આરોપીઓને એક વર્ષની જેલ અને 3 હજાર રુપિયા દંડની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2015માં આ ચાર આરોપીઓની સોસાયટીમાં રહેતા પિતા-પુત્ર સાથે લડાઈ થઈ ગઈ હતી. તેમણે પિતા-પુત્રને માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા અને સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હવે કોર્ટે આ કેસમાં સજા સંભળાવી છે.

Edited byZakiya Vaniya | I am Gujarat 7 Sep 2022, 1:10 pm
સુરત- લગભગ સાત વર્ષ પહેલા ચોરી ઉપર સીના જોરી કરનારા સુરતના ચાર આરોપીઓને કોર્ટે જેલની સજા ફટકારી છે. કોર્ટના આદેશ અનુસાર આ ચાર આરોપીઓએ એક વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે. આટલુ જ નહીં, પ્રત્યેક આરોપીએ ત્રણ હજાર રુપિયા દંડ પણ ભરવો પડશે. જો તેઓ દંડની રકમ નહીં ભરી શકે તો તેમણે વધારે 3 મહિના જેલમાં કાપવા પડશે. આ સમગ્ર મામલો પિતા-પુત્ર સાથે હિંસા કરવાનો છે. આ ચાર આરોપીઓ ગોડાદરાની સોસાયટીના કોર્નર પર ઉગાડેલા વૃક્ષો ઉખાડ્યા હતા. જ્યારે તેમને પિતા-પુત્રએ રોક્યા તો તેમણે તેમને માર મારીને ઈજાગ્રસ્ત કર્યા હતા.
I am Gujarat Surat court
પ્રતિકાત્મક તસવીર


ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો, ગોડાદરા નહેર પાસે આવેલી ગાર્ડન સોસાયટીમાં રહેતા મેહુલ પંકજસિંગ દેસાઈ નામના વ્યક્તિએ સોસાયટીમાં આસોપાલવ અને જાંબુના ઝાડ ઉગાડ્યા હતા. 24 જાન્યુઆરી 2015ના રોજ બાજુની સોસાયટીમાં રહેતા ચાર લોકોએ વૃક્ષોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ આરોપીઓની ઓળખ નંદકિશોર ગજાનંદ, જુગલકિશોર ગજાનંદ, સંદિપ લક્ષ્મણ નિર્મલ, પિન્ટુ આલોક ભામર તરીકે થઈ છે.

સુરતના PIનો એકતરફી પ્રેમ! પરિણીતાની કૉલ ડિટેઈલ કઢાવીને ફોન કરનારાઓને ધમકાવ્યા!
આ ચાર આરોપીઓ જ્યારે વૃક્ષોને નુકસાન પહોંચાડી રહ્યા હતા ત્યારે ફરિયાદી તેમને રોકવા માટે આગળ આવ્યા હતા. આરોપીઓએ તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને માર પણ માર્યો હતો. ફરિયાદીના પિતા જ્યારે વચ્ચે પડ્યા તો તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

કેસની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ પોતાના બચાવમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના પિતા સોસાયટીના પ્રમુખ છે તેમ છતાં કોઈ વિકાસના કાર્યો કરતા નથી. આ સિવાય આરોપીઓમાંથી એકને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યુ હતું જે પોતાની ટીમ સાથે વિકાસના કાર્યો કરે છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આરોપીઓની દલીલ હતી કે, આ અદાવતને કારણે ફરિયાદીએ ખોટો કેસ દાખલ કર્યો છે. આ સિવાય ફરિયાદી પિતા-પુત્ર સોસાયટીનો રોડ બને તેની આડે આવતા હતા તેવી પણ ફરિયાદ કરવામાં આવી હતી.

કેનેડાના વર્ક-PR વીઝાના બહાને દંપતીએ ડૉક્ટર મારફતે 171 લોકોના રુ. 13.13 કરોડનું કરી નાખ્યું
ફરિયાદીએ કુલ આઠ દસ્તાવેજી પુરાવા આરોપીઓ વિરુદ્ધ રજૂ કર્યા હતા. કોર્ટે તમામ વિગતો અને પુરાવાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પિનલ કોડની કલમ 322, 427 અને 114 હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યા છે અને જેલ તેમજ દંડની સજા ફટકારી છે.

Read Next Story