એપશહેર

સુરતના ઉદ્યોગપતિ દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં PI સહિત ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ દુર્લભ પટેલની આત્મહત્યા કેસમાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ

I am Gujarat 14 Sep 2020, 9:33 pm
સુરતમાં સાયણ સુગરના ભૂતપૂર્વ ડાયરેક્ટર દુર્લભ પટેલની આત્મહત્યા કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ એલપી બોડાણા સહિત ચાર પોલીસ કર્મચારીઓને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સસ્પેન્ડ કરી દીધા છે.
I am Gujarat four policemen suspend in surat businessman durlabh patel suicide case
સુરતના ઉદ્યોગપતિ દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં PI સહિત ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા


આ કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફની ભૂમિકા અંગે ડીસીપી પન્ના મામાયાએ દુર્લભ પટેલના મોટા પુત્ર ધર્મેશ પટેલની છ કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ થોડા સમયમાં જ ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પૂછપરછ બાદ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પીઆઈ લક્ષ્મણ સિંહ બોડાણા, એએસઆઈ કિરણસિંહ, કોન્સ્ટેબલ અજય ભોપાળા અને ઉધનાના કોન્સ્ટેબલ વિજય શિંદેને સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે એવો આરોપ છે કે દુર્લભ પટેલ પર કેટલાક ડોક્યુમેન્ટ્સ પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી 2020મા દુર્લભ પટેલ અને તેમના પુત્ર પર દબાણ કરીને 24 કરોડ રૂપિયાની જમીનના પેપરો પર સહી કરાવવામાં કથિત રીતે રાંદેર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર અને અન્ય પોલીસકર્મીઓની સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો.

ફરિયાદ મુજબ દુર્લભ પટેલ માનસિક રીતે દબાણમાં આવી ગયા હતા અને તેના કારણે સુરતના માંડવી તાલુકાના ખંજરોલીમાં આવેલી પોતાની માલિકીની ક્વોરીમાં પાણી ભરેલા ખાડામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Read Next Story