એપશહેર

સુરતઃ સમૂહ લગ્નના કરિયાવરમાં આપવામાં આવ્યા ફાયર સેફ્ટીના સાધનો, જુઓ Pics

Hitesh Mori | I am Gujarat 10 Feb 2020, 8:32 pm
હિતેશ મોરી, સુરતઃ સમૂહ લગ્નમાં કરિયાવરમાં દાતાઓ દ્વારા અવનવી વસ્તુઓ આપવામાં આવતી હોય છે પરંતુ પુણા વિસ્તારમાં રવિવારે યોજાયેલા સમૂહ લગ્નનો કરિયાવ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે આ લગ્નમાં નવદંપતિને ઘરવખરીની સાથે ફાયર સેફ્ટીના સાધનો પણ આપવામાં આવ્યા હતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો વીર બંજરંગ સેવા સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં 25 નવદંપતિ લગ્નના બંધનમાં જોડાયા હતા. આ સમુહ લગ્ન એટલા માટે ખાસ હતા કારણે કે અહીં જે નવદંપતિ હતા તેમને કરિયાવરમાં ઘરવખરની 100થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી. આ સાથે દરેક દંપતિને એક ફાયર ઇક્સ્ટિંગગ્વિશર પણ આપવામાં આવ્યું.
આયોજક નિખિલ વાકાણીએ જણાવ્યું કે, ‘અમે લોકો છેલ્લા 3 વર્ષથી સમુહ લગ્નનું આયોજન કરીએ છીએ. દર વર્ષે કંઈક અલગ કરવાનું વિચારીએ છીએ. તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં બનેલી આગની ઘટનામાં અનેક બાળકોએ જીવ ગુમાવ્યા. ત્યાર બાદ તંત્ર જાગ્યુ પરંતુ ઘરની અંદર કોઈ આગ લાગે તો તેના વિશે કોઈ વિચારતું નથી. જેથી અમે આ વર્ષે નવદંપતિઓનો ફાયર સેફ્ટીના સાધનો આપવાનું નક્કી કર્યું. ક્યારેક કોઈ અકસ્માત સર્જાય તો તેવી સ્થિતિમાં આ ફાયર સેફ્ટીના સાધાનો કામ લાગી શકે.’
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે ગત વર્ષે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે દરેક દંપતિને હેલ્મેટ ગિફ્ટમાં આપ્યા હતા. ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને પરિવારની સુરક્ષા જળવાઈ રહે તે માટે અમે હેલ્મેટ આપી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો