એપશહેર

નીકળી કાચબાની સ્મશાનયાત્રા, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં લોકો

Gaurang Joshi | I am Gujarat 14 Jan 2019, 7:13 pm
I am Gujarat gujarat residents of bharuch organize funeral of tortoise
નીકળી કાચબાની સ્મશાનયાત્રા, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં લોકો


ફૂલ-માળાથી સજાવાઈ નનામી

ભરુચઃ પૃથ્વીના દરેક જીવ પ્રત્યે સૌહાર્દ અને પ્રેમ દાખવવો જોઈએ. આ જ પ્રકારનો કિસ્સો ભરુચમાં પણ જોવા મળ્યો છે. એક કાચબાના અવસાન પછી લોકો એટલા ભાવુક થઈ ગયાં કે નનામી સહિત સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. ભરુચના ઐતિહાસિક રતન તળાવમાં એક મહાકાય કાચબાનું રવિવારે અવસાન થયું હતું. આ વાતની જાણકારી જેવી આજુબાજુના લોકોને મળી કે તળાવ નજીક લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. આ પછી લોકોએ કાચબાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને એક હોલમાં રાખ્યો હતો. જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્રીત થયાં હતાં. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

નીકળી કાચબાની સ્મશાનયાત્રા

કાચબા પ્રત્યે સ્થાનીક લોકોનો આટલો લગાવ જોઈને એ નિર્ણય કરવામાં આવ્યો કે તેની સ્મશાનયાત્રા નીકાળવામાં આવે. જે માટે તેની નનામીને સજાવવામાં આવી હતી. ફૂલ અને માળા સાથે કાચબાની સ્મશાનયાત્રા નીકળી હતી. જિલ્લા કલેક્ટર ઓફિસ પાસેથી થઈને આ સ્મશાનયાત્રા વનવિભાગની ઓફિસે પહોંચી હતી. અહી પોસ્ટમોર્ટમ પછી વન વિભાગ આગળની કાર્યવાહી કરશે.

‘અનેક કાચબાઓની ઉંમર 400 વર્ષ’

નોંધનીય છે કે રતન તળાવની આસપાસ રહેતાં લોકો રોજ કાચબાને ખવડાવે છે. સ્થાનીક લોકોના જણાવ્યાનુસાર,’આ કાચબાઓ ભરુચ શહેરનાં સૌથી જૂના કાચબાં છે. આ કાચબાઓમાંથી અનેક 400 વર્ષ સુધી જીવે છે.’ કાચબાના મોત પછી લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યાં હતાં. રતન તળાવની નજીક રહેતાં જીવન ભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે,’ગંદકીના કારણે કાચબાઓના મોત થઈ રહ્યાં છે. આ વાત પહેલા પણ અધિકારીઓના કાને નખાઈ છે પરંતુ તેઓ આ તરફ કશું જ ધ્યાન આપતાં નથી.’

શું જગ્યા બદલવાથી થયું કાચબાનું મોત?

ભરુચના રહેવાસી ગૌતમ ડોડીયાએ જણાવ્યું કે,’કેટલાક દિવસો પહેલા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને 20 કાચબાઓને નજીક બીજા કુંડમાં શિફ્ટ કર્યાં હતાં. જે પછી કાચબાઓના મોત થયાં છે.’ કાચબાના મોત પછી જ્યારે સ્મશાનયાત્રા નીકળી તો લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

Read Next Story