એપશહેર

નર્મદા નદીનું જળસ્તર વધ્યું, ભરુચમાં આવેલું એકમાત્ર કોવિડ સ્પેશિયલ સ્મશાન ડૂબ્યું

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, આવામાં ભરુચમાં આવેલું

I am Gujarat 31 Aug 2020, 12:16 pm
ભારે વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે. આવામાં નીચાણવાળા સ્થળો પાણીમાં ગરકાવ થવાની ઘટના બની રહી છે. આવામાં ભરુચનું કોવિડ સ્મશાન પાણીમાં ગરવાક થઈ ગયું છે. જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્મશાન પાણીમાં ડૂબી જવાના કારણે અંતિમક્રિયાની કામગીરી અટકાવી દેવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે સ્થિતિ બેકાબૂ બનતા 13 જેટલા NDRFની ટીમોને રાજ્યના અલગ-અલગ ભાગોમાં પણ તૈનાત કરવામાં આવી છે.
I am Gujarat in bharuch the covid crematorium submerged after narmada river water level increased
નર્મદા નદીનું જળસ્તર વધ્યું, ભરુચમાં આવેલું એકમાત્ર કોવિડ સ્પેશિયલ સ્મશાન ડૂબ્યું


ભરુચમાં આવેલું એકમાત્ર સ્પેશિયલ કોવિડ સ્મશાન નર્મદા નદીનું જળસ્તર વધતા પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્મશાન પાણીમાં ડૂબી ગયું હોવાના કારણે બે કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર બાકી છે. જો સ્થિતિમાં સુધાર ના આવ્યો તો અન્ય જગ્યા પર અંતિમક્રિયાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં સીઝનનો 110% વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં અમરેલીના બગસરા અને નવસારી શહેર અને ચીખલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ તરફ નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે જેના કારણે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. 132.58 મીટર પહોંચ્યું છે. બીજી તરફ ડેમમાં 11 લાખ ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઈ રહી છે.

વડોદરાના તિર્થધામ ચાણોદમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળવાના કારણે સ્થિતિ કપરી બની છે. અહીં આસપાસના વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે.

Read Next Story