એપશહેર

કથાકાર જીગ્નેશ દાદા કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા, બહેને આરતી ઉતારીને વધામણા કર્યા

કથાકાર જીગ્નેશ દાદા કોરોનાને હરાવીને સુરત ખાતેના ઘરમાં આવ્યા.

I am Gujarat 8 Oct 2020, 10:54 am
ઘણા સમયથી કોરોના સંક્રમિત જાણીતા કથાકાર જીગ્નેશ દાદા હવે કોરોનાને હરાવીને તેમના ઘરે આવ્યા છે. જીગ્નેશ દાદા કોરોના સામેની જંગ જીતીને ઘરે આવતા તેમના માતાએ દીકરાના વધામણા કર્યા અને તેમની બહેને પણ ભાઈની આરતી ઉતારીને મોઢું મીઠું કરાવ્યું હતું. આ બાદ જીગ્નેશ દાદાએ ઘરમાં પ્રવેશ કરીને તેમના માતા તથા પિતાના આશીર્વાદ લીધા હતા.
I am Gujarat jig 1
કથાકાર જીગ્નેશ દાદાની તસવીર


કથાકાર જીગ્નેશ દાદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કરીને જાણકારી આપી હતી. જીગ્નેશ દાદા છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના સ્વસ્થ થવા માટે ઘણી જગ્યાઓ પર પ્રાર્થનાઓ અને પૂજાઓ કરવામાં આવી હતી. તેમના જલ્દી સાજા થવા માટે યજ્ઞો પણ કરાયા હતા.
View this post on Instagram A post shared by Jignesh Dada Radhe Radhe (@jigneshdada_official) on Oct 6, 2020 at 8:57am PDT

ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે જીગ્નેશ દાદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના ચાહકો દ્વારા તેમની ડોક્ટર સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી હતી. હાલમાં જીગ્નેશ દાદા સુરતમાં તેમના નિવાસસ્થાને આરામ કરશે અને ક્વોરન્ટાઈનમાં રહેશે.

નોંધનીય છે કે આ પહેલા રાધે રાધેના ઉપનામથી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તેમને વરાછાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. વિડીયો વાઈરલ થયા બાદ શુભચિંતકો તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછવા લાગ્યા હતા. તેમજ તેઓ જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના અને મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા.

મૂળ સાવરકુંડલાના કેરિયાચાડના વતની અને ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાનો કોરોના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યા બાદ હાલમાં તેઓ એકદમ સ્વસ્થ છે. તેમને હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા રજા આપવામાં આવી હતી.

Read Next Story