એપશહેર

સુરતઃ હજીરામાં ONGCમાં વહેલી સવારે વિસ્ફોટ સાથે આગ, બચાવ-રાહત કામગીરી શરું

સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

I am Gujarat 24 Sep 2020, 7:58 am
સુરતઃ હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં સવારે 3 વાગે બ્લાસ્ટ થયા હતા અને આગ લાગી હતી. આ બ્લાસ્ટ થતાની સાથે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ગેસ પ્લાન્ટમાં લાગેલી આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. હાલ ફાયરની ટીમ આગ બુઝાવાવના કામમાં લાગી ગઇ છે. હજી સુધી કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યા નથી પરંતુ ત્રણ કર્મચારીઓ ગૂમ થયાની ચર્ચા થઇ રહી છે. આ આગમાં જાનહાની અંગે હાલ સત્તાવાર રીતે કોઇ સમાચાર સામે આવ્યાં નથી.
I am Gujarat massive blast and fire broke pout at surat ongc gas terminal early in the morning
સુરતઃ હજીરામાં ONGCમાં વહેલી સવારે વિસ્ફોટ સાથે આગ, બચાવ-રાહત કામગીરી શરું


સુરતના હજીરા વિસ્તારમાં આવેલ ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે 3 વાગ્યાને 15 મિનિટ આસપાસ ત્રણ વિસ્ફોટ થયા હતાં. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીનો હાઈવે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. અહેવાલો મુજબ ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા બાદ અને પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિઓ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાંથી એક સિક્યુરિટી ગાર્ડ અને બે શ્રમિકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડીઓ અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

સુરતના હજીરમાં આવેલા ONGCના આ પ્લાન્ટમાં મુંબઈથી દરિયાઈ માર્ગે ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસનો પુરવઠો સંગ્રહ કરવામાં આવે છે. આ ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. જેથી આગને કાબૂમાં લેવામાં ઘણો સમય લાગી શકે છે.

સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેસ લિકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

Read Next Story