એપશહેર

સુરતના મેયર ડૉ. જગદીશ પટેલ કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી

સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કહ્યું ગઈકાલથી થોડી શરદી ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે.

I am Gujarat 24 Nov 2020, 3:46 pm
સુરત: ગુજરાતમાં શિયાળો શરૂ થતા જ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં હાલ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. સુરતમાં પણ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે.
I am Gujarat q1


સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું કે માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતાં ઈન્ફેક્શનથી બચી શકાયું હતું, જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું. ગઈકાલથી થોડી શરદી ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વિનંતી કરુ છું. હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહીં જોડાઈ શકું તે બદલ માફ કરશો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો