એપશહેર

નર્સના આપઘાત મામલે નવસારીના ઈન-ચાર્જ સિવિલ સર્જનની અટકાયત

I am Gujarat 28 Oct 2020, 11:28 am
સુરત: નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સના આપઘાતના મામલે હોસ્પિટલના ઈન-ચાર્જ સિવિલ સર્જન અને બે સ્ટાફ નર્સની અટકાયત કરાઈ છે. આ તમામ લોકો પર મૃતક નર્સને આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા આપવાનો આરોપ લગાવાયો છે. પોલીસે મૃતકના પતિ અને સાસુની પણ અટકાયત કરી છે.
I am Gujarat megha acharya case police detains in charge civil surgeon of navsari civil hospital
નર્સના આપઘાત મામલે નવસારીના ઈન-ચાર્જ સિવિલ સર્જનની અટકાયત


મેઘા આચાર્ય નામની 28 વર્ષીય નર્સે વેજલપોર ટાઉનમાં આવેલા પોતાના ઘરે જીવનનો અંત આણ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને સાડા ચાર પાનાંની સ્યૂઈસાઈડ નોટ મળી આવી હતી, જેમાં મૃતકે પોતાને ત્રાસ આપનારા હોસ્પિટલના સ્ટાફનો નામ સાથે ઉલ્લેખ કર્યો હતો.

મૃતકની માતાએ આ મામલે તેને ત્રાસ આપતા ઈન-ચાર્જ સિવિલ સર્જન ડૉ. અવિનાશ દૂબે, બે હેડ નર્સ તારા ગામીત અને વનિતા પટેલ ઉપરાંત મેઘાના પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોતાની ફરિયાદમાં મૃતકની માતાએ જણાવ્યું હતું કે સાસરિયા દહેજની માગણી કરી ત્રાસ આપતા હોવાથી મેઘાએ તેમની સાથેનો સંબંધ એક વર્ષ પહેલા તોડી નાખ્યો હતો. બીજી તરફ, હોસ્પિટલમાં પણ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

નવસારીના ડીવાયએસપી એચકે રાણાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે ઈન-ચાર્જ સિવિલ સર્જન ઉપરાંત મૃતકના પતિ અને સાસુની અટકાયત કરાઈ છે, જ્યારે જે બે નર્સોનો FIRમાં ઉલ્લેખ છે તેમની હજુ ધરપકડ નથી કરાઈ. સિવિલ સર્જન પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Read Next Story