એપશહેર

હવે કશું નહીં થાય એમ વિચારીને ફરતા ખૂનીને સુરત પોલીસે 21 વર્ષે પકડી પાડ્યો

રૂમ પાર્ટનરનું ખૂન કરીને તેને ગોદડીઓ ઓઢાવીને મનીષ વર્મા યુપી ફરાર થયો હતો, બધું શાંત પડ્યું પછી તે લગ્ન કરીને કશું થયું નથી એમ સુરતમાં બૈરી-છોકરા સાથે રહેવા લાગ્યો હતો.

I am Gujarat 20 Jan 2021, 1:31 pm
આરોપીઓ પોતાના ગુનાને છુપાવવા માટે વ્યક્તિ એક પછી એક ગુના કરતા હોય છે પરંતુ સમય જતા તેમનું નામ બહાર ના આવતા બચી ગયા હોય તેવું સમજીને બિનધાસ્ત થઈને ફરતો હતો. પણ આ કેસને પોલીસ નહોતી ભૂલી, અને આખરે ખૂની ઝડપાઈ ગયો. આરોપી લાંબો સમય પસાર થયા પછી સારો માણસ બનીને રહેતો હતો તેણે લગ્ન કરી લીધા છે અને તેના બે બાળકો પણ છે.
I am Gujarat police arrest murderer after 21 year from dindoli circle
હવે કશું નહીં થાય એમ વિચારીને ફરતા ખૂનીને સુરત પોલીસે 21 વર્ષે પકડી પાડ્યો


કડોદરામાં રહેતા મનેશ્વર ઉર્ફે મનીષ રામજીયાવન વર્મા (39)એ 21 વર્ષ પહેલા સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં તેના રૂમ પાર્ટનર રામનરેશ વર્માની ઘાતકી હત્યા કરી હતી. આ ઘટના પછી આરોપી મનીષ વર્મા ઉત્તરપ્રદેશ ફરાર થઈ ગયો હતો, આ પછી તે થોડા સમય સુધી સ્થિતિ થાળે પડી કે નહીં તે જાણવા માટે યુપીથી સુરત અવર-જવર કરતો હતો, પણ પોલીસના હાથમાં નહોતો આવતો.

1999માં સુરતના ઉધના વિસ્તારમાં બનેલી ઘટનામાં આરોપી તેના મિત્રનરેશ સાથે રહેતો હતો, આરોપી તે સમયે ડાઈંગ મિલમાં કામ કરતો હતો. આ દરમિયાન ઘર ખર્ચ બાબતે ઝઘડો થયા પછી તેણે રામનરેશ પર ઘાતકી હુમલો કર્યો હતો જેમાં રામનરેશનું મોત થયું હતું. આ પછી મનીષ રામનરેશની લાશને ગોદડીઓ ઢાંકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે બાતમીના આધારે આરોપીને ડિંડોલી મધુરમ સર્કલ પરથી ઝડપી પાડ્યો છે. કડોદરામાં રહેતા આરોપીના પત્ની અને બાળકોને આખી વાત જાણીને ભારે ઝાટકો લાગ્યો હતો. 1999માં ઉધનામાં બનેલી ઘટનામાં ફરાર થયા બાદ મનીષ 10 વર્ષ પહેલા કડોદરામાં સ્થાઈ થયો હતો. તે કામ માટે સુરત આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તૈયાર હતી. પોલીસે તેની ધરપકડ બાદ તેની પત્નીને આખી ઘટના જણાવી તો તેને ભારે આઘાત લાગ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો