એપશહેર

ગરીબો-શ્રમિકો પાસેથી ઉંચુ વ્યાજ વસૂલતા 14 વ્યાજખોરોની પોલીસે કરી ધરપકડ

સુરત પોલીસે એક મહત્વની ડ્રાઈવ હાથ ધરીને 14 જેટલાં વ્યાજખોરોની ધરપકડ કરી છે. સુરત પોલીસે સચિન અને સચિન જીઆઈડીસી તથા આઈ ડીવીઝનમાંથી 14 વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે. આ તમામ વ્યાજખોરો ગરીબો અને શ્રમિકોને ઉંચા વ્યાજે રુપિયા આપતા હતા. પોલીસે 14 વ્યાજખોરોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 6 Jan 2023, 11:58 am

હાઈલાઈટ્સ:

  • સુરત પોલીસે 14 વ્યાજખોરોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
  • આ તમામ વ્યાજખોરો ગરીબો-શ્રમિકોને ઉંચા વ્યાજે રુપિયા આપતા હતા
  • વ્યાજ લીધા બાદ પણ આ વ્યાજખોરો જે તે વ્યક્તિને હેરાન કરતા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat surat usurers caught
સુરત પોલીસે ઉંચુ વ્યાજ વસૂલતા 14 વ્યાજખોરોની કરી ધરપકડ
સુરતઃ કેટલાંક જરુરિયાતમંદો જીવન નિર્વાહ કરવા માટે રુપિયા ઉછીના કે વ્યાજે લેતા હોય છે. વ્યાજખોરો પણ આવા જરુરિયાતમંદનો રુપિયા વ્યાજે આપતા હોય છે. કેટલાંક લોકો વ્યાજ અને રુપિયા પરત ન કરી શકતા આપઘાત કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે સુરત પોલીસ આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે. જેના ભાગ રુપે સુરત પોલીસે આઈ ડિવીઝન અને સચિન તથા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાંથી 14 વ્યાજખોરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યાજખોરો ગરીબો અને શ્રમિકોને ઉંચા વ્યાજે રુપિયા આપતા હતા.

14 વ્યાજખોરોની ધરપકડ

મહત્વનું છે કે, સુરત શહેરમાં દેશભરના લોકો રોજગારીની શોધમાં આવે છે અને પછી અહીં વસવાટ કરતા હોય છે. શહેરમાં રહીને તેઓ નાનો મોટો ધંધો કરીને પોતાનું પેટિયુ રળતા હોય છે. જેના કારણે ગરીબો અને શ્રમિકોને રુપિયાની જરુર પડતી હોય છે. ત્યારે કેટલાંક અસામાજિક તત્વો આવા ગરીબ અને શ્રમિકોને રુપિયા વ્યાજે આપતા હોય છે. આવા વ્યાજખોરો તેમની પાસેથી ઉંચું વ્યાજ પણ વસૂલતા હોય છે. ઉંચા વ્યાજની સાથે આપેલા રુપિયા કરતા પણ વધુ પૈસા તેમની પાસેથી પડાવતા હોય છે. જેને લઈને સુરત પોલીસને સતત ફરિયાદો મળતી હતી. જેના ભાગ રુપે સુરત પોલીસે આવું ઉંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે લાલ આંખ કરી હતી.
સુરત: ઘરેથી નોકરી જવા નીકળેલી ફિઝિયોથેરાપિસ્ટની તાપી નદીમાંથી લાશ મળી, ડિસેમ્બરમાં જ થયા હતા લગ્ન
પંદર ટકાથી પણ વધુ વ્યાજ વસૂલતા હતા
પોલીસના ધ્યાને આવ્યું કે આવા વ્યાજખોરો પંદર ટકાથી પણ વધુ વ્યાજ વસૂલતા હતા. એટલું જ નહીં રુપિયા વ્યાજે લેનારા વ્યક્તિઓ પાસે સતત વ્યાજ માંગીને તેમને હેરાન પરેશાન પણ કરતા હોય છે. એટલે સુરત પોલીસે આઈ ડિવીઝન, સચિન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરીને વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. જેમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં 11 અને સચિન વિસ્તામાં 3 વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
કોર્પોરેશનના કર્મચારીને 8 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો
ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

પોલીસે આ 14 વ્યાજખોરોની ધરપકડ કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ તમામ વ્યાજખોરો ગરીબો અને શ્રમિકોને ઉંચા વ્યાજે રુપિયા આપતા હતા. તેમની પાસેથી ઉંચુ વ્યાજ પણ વસૂલતા હતા અને હેરાન પરેશાન કરતા હતા. ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Surat News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story