એપશહેર

હવે દિલ્હીથી 1 રુપિયો નીકળે છે, અને ગરીબના ઘરમાં પૂરા 100 પૈસા પહોંચે છે: મોદી

નવરંગ સેન | I am Gujarat 23 Aug 2018, 12:42 pm
વલસાડ: આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં બનેલા મકાનોના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કર્યા બાદ પીએમ મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે, સરકારી યોજનામાં બનેલા મકાનોની ગુણવત્તા શ્રેષ્ઠ બની છે, કારણકે હવે કટકી કંપનીઓ બંધ થઈ ગઈ છે. પીએમે જણાવ્યું હતું કે, હવે દિલ્હીથી 1 રુપિયો નીકળે છે, અને ગરીબના ઘરમાં પૂરા 100 પૈસા પહોંચે છે. પીએમે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ જ મને મોટો બનાવ્યો છે, અને મોટા સપનાને પૂરા કરવાનું પણ શીખવ્યું છે. પીએેમે કહ્યું હતું કે 2022 સુધી દેશમાં એકેય એવો વ્યક્તિ નહીં હોય કે જેની પાસે પોતાનું ઘરનું ઘર ન હોય. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી નેતાઓના ઘરની સજાવટોના સમાચાર આવતા, પરંતુ હવે દરેક લોકોના ઘર બનવાના સમાચાર આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની મદદથી બનેલા મકાનો અંગે પીએમે જણાવ્યું હતું કે, લાભાર્થી પરિવારોએ નમૂનારુપ કહી શકાય તેવા ઉત્તમ ઘર બનાવ્યા છે. માત્ર સરકારી કોન્ટ્રાક્ટર પર આધારિત ન રહેતા તેમણે જાતે તેનું મટિરિયલ પસંદ કર્યુ અને મકાન બનાવવામાં તેમનો પરસેવો પણ સામેલ છે. પીએમે દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની સરકારની યોજના અંગે જણાવ્યું હતું કે, આગામી દોઢેક વર્ષમાં દેશમાં એકેય એવું ઘર નહીં હોય કે જ્યાં વીજળી ન પહોંચી હોય. પૂર્વ પીએમ વાજપેયીને યાદ કરતા પીએમે કહ્યું હતું કે, વાજપેયીજી જતા રહ્યા, પરંતુ તેમના નામ પર શરુ થયેલી ગ્રામ્ય સડક યોજના તેના નિર્ધારિત સમયમાં સરકાર પૂરી કરશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો