એપશહેર

સુરતમાં કોરોનાનો કહેરઃ નવી સિવિલ હોસ્પિટલના ચાર સહિત કુલ સાત ડોક્ટર કોરોના પોઝિટિવ

Hitesh Mori | I am Gujarat 30 Jun 2020, 9:31 pm
સુરતઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં છેલ્લા ઘણા દિવસથી વધારો થઈ રહ્યો છે. કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ કામ કરતા ડોકટરો પણ તેનાથી બચી શકતા નથી. આજે સુરતની નવી સિવિલ હોસ્પિટના ચાર સહિત કુલ સાત ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30મી જૂના રોજ 620 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 205 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 183 કેસ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટવ આવતા તંત્ર દોડતું થયું છે સાથે હોસ્પિટલના અન્ય સ્ટાફને પણ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશન દ્વારા શહેરના ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ગતિવિધી નિયંત્રણમાં કરી દીધી છે.અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

Read Next Story