એપશહેર

આનંદીબેનને હાર્દિકે નહીં પટેલોએ ઉથલાવ્યાં: સવાણી

I am Gujarat 3 Sep 2016, 2:39 am
નવગુજરાત સમય > સુરત
I am Gujarat south gujarat 39
આનંદીબેનને હાર્દિકે નહીં પટેલોએ ઉથલાવ્યાં: સવાણી


– સુરતમાં 8 સપ્ટેમ્બરે ભાજપમાં નવા વરાયેલા પાટીદાર નેતાઓનું સન્માન કરવાના કાર્યક્રમ યોજાનાર છે તે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પાટીદાર સન્માન સમિતિના મહેશ સવાણીએ કહ્યું હતું કે, આનંદીબેનને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાનુ કામ હાર્દિક પટેલે નહીં પણ પાટીદાર સમાજના લોકોએ જ કર્યુ છે. ગુજરાતના અત્યાર સુધીમાં મુખ્યમંત્રી કેશુભાઇથી માંડીને ચીમનભાઇ પટેલને ઉથલાવવામાં પણ પાટીદારોનું જ યોગદાન રહ્યું છે. સમાજ ભાન ભુલ્યો છે હવે તેમને સાચી દિશા બતાવવા માટે 8 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં સમાજના લોકોને ભેગા કરવાના છે એમ સવાણીએ ઉમેર્યું હતું.

મહેશ સવાણીએ વધુમાં કહ્યું હતું કે 8 સપ્ટેમ્બરે અબ્રામા ખાતે અમિત શાહ, વિજય રૂપાણી, જીતુભાઇ વઘાસિયા સહિતના ભાજપના નેતાઓ હાજરી આપવાના છે. હાર્દિક અંગેના સવાલમાં તમણે કહ્યું હતું કે હાર્દિક બે મોઢાની વાતો કરી રહ્યો છે એટલે પાસના સભ્યો તેનાથી નારાજ થઇ રહ્યાં છે. જે પાસના સભ્યો પાટીદાર અભિવાદન સમિતિમાં જોડાવા માંગતા હોય તેમને અમે આવકારીશું.મહત્વનું છે કે સુરતના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વરાયેલા જીતુ વાઘાણી, ગુજરાતના ૪૪ પાટીદાર ધારાસભ્યો, સાંસદો સહિત પાટીદાર આગેવાનોનું સન્માન કરાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો