એપશહેર

વરસાદથી પાટા ધોવાતાં નંદુરબાર-સુરત વચ્ચેનો રેલવે વ્યવહાર ઠપ્પ

I am Gujarat 12 Jul 2016, 2:47 am
નવગુજરાત સમય > અમદાવાદ, બારડોલી
I am Gujarat south gujarat 50
વરસાદથી પાટા ધોવાતાં નંદુરબાર-સુરત વચ્ચેનો રેલવે વ્યવહાર ઠપ્પ


– વેસ્ટર્ન રેલવેના મુંબઈ અને અમદાવાદ ડિવિઝનને જોડતા સુરત-નંદુરબાર સેક્શનમાં વરસાદના કારણે રેલવે પાટાનુ ધોવાણ થયું છે. રવિવારે રાત્રે ૧૧.૩૫ કલાકે નંદુરબાર નજીક આવેલા દેકવડ પાસે ટ્રેન નંબર ૬૯૧૬૧ સુરત-નંબુરબાદ મેમુ ટ્રેનનાં પાંચ ડબા ખડી પડતા સમગ્ર રૂટનો રેલવે વ્યવહાર ઠપ્પ થયો હતો. રેલવેના પાટા ધોવાતા સોમવારની ૩ ટ્રેન રદ્દ કરવામાં આવી હતી તેમજ ૬ ટ્રેનને આંશિક રીતે રદ્દ કરાઈ હતી. આ ઉપરાંત ૨ ટ્રેનને રિ-શિડ્યુલ કરવામાં આવી હતી જ્યારે ૨૧ ટ્રેનને અન્ય રૂટ માટે ડાયવર્ટ કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રમાં પડેલા પહેલા વરસાદની રેલવે વ્યવહાર પર અસર જોવા મળી હતી. વરસાદના ભારે પૂરથી પાટા નીચેેથી માટી અને કપચી ધોવાઈ ગઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કોઈ મુસાફરને નુક્શાન થયું નહોતુ. ટ્રેનમાં અટવાયેલા મુસાફરો માટે રાત્રે ૧૨ કલાકે ઉધનાથી ઈમરજન્સી એક્સિડન્ટ રિલિફ ટ્રેન (એઆરટી)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથેસાથે રેલવે પટરીને સુધારવા રાતોરાત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વેસ્ટર્ન રેલવેના એડિશનલ જનરલ મેનેજર એસ.કે.પાઠક અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર મુકુલ જૈન ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં.

રેસ્ક્યુ ટીમના જણાવ્યા પ્રમાણે ૪૦૦ મીટર સુધીનો એરિયા વરસાદના કારણે ધોવાયો હતો. આ કારણથી રેલવે ટ્રેકને ભારે ડેમેજ થયું હતું. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુસાફરોને અત્યાર સુધી ૯ લાખ રૂપિયા રિફંડ કરી દેવામાં આવ્યા છે. તેમજ મુસાફરોના ટ્રાન્સપોર્ટેશન માટે ૨૦ જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. રદ્દ કરાયેલ ટ્રેનમાં ટ્રેન નંબર ૫૯૦૭૮ ભુસાવલ-સુરત પેસેન્જર, ટ્રેન નંબર ૫૯૦૭૫/૫૯૦૭૬ સુરત-ભુસાવલ-સુરત પેસેન્જર અને ટ્રેન નંબર ૬૯૧૬૯/૬૯૧૭૦ સુરત-નંદુરબાર-સુરત પેસેન્જરનો સમાવેશ થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો