એપશહેર

સાપુતારા જતી કાર કામરેજ પાસે નહેરમાં ખાબકતાં પાંચનાં મોત

I am Gujarat 25 Jul 2016, 2:27 am
નવગુજરાત સમય > સુરત, બારડોલી
I am Gujarat south gujarat 52
સાપુતારા જતી કાર કામરેજ પાસે નહેરમાં ખાબકતાં પાંચનાં મોત


– સુરતથી સાપુતારા જઇ રહેલા વરાછાના એમ્બ્રોઇડરીના વેપારીની કાર કામરેજ પાસે આવેલા કોસમાડી નજીકની વલથાણ નહેરમાં ખાબકતા કારમાં મુસાફરી કરી રહેલા પાંચ વ્યકિતનાં મોત નીપજ્યા હતા. એક સાથે 5 લોકોના મોત થવાથી વરાછા વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. જોકે, કાર નહેરમાં કેવી રીતે ખાબકી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અન્ય કોઇ કારની ટકકરને કારણે કાર નહેરમાં ખાબકી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

મુળ બોટાદના અડતાળા ગામના સંજયભાઇ ગોળકિયા તેમના મિત્રો અને સ્વજનો સાથે પોતાની એસયુવી કારમાં રવિવારે વહેલી સવારે સુરતથી સાપુતારા જવા નીકળ્યા હતા. દરમિયાન કોસમાડી નજીક વલથાણ નહેર પાસે જ કોઈ કારણસર તેમની કાર નહેરમાં ખાબકી હતી. જોકે તેમનો બચાવ થાય તે પહેલાં જ કારમાં બેઠેલા પાંચેયના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ક્રેઈનની મદદથી કારને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. નિશાન કારમાં મોતને બેઠેલા સંજયભાઇ ગોળકીયા ઉપરાંત, પ્રકાશ ધીરુભાઇ ગોળકિયા, કલ્પેશ દેવચંદ દિયોરા, વિજય કાનાણી અને સંકેત લિંબાણીના મોત થયા હતા. તમામને પીએમ અર્થે મોકલી આપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા સંજયભાઇ તથા તેમના મિત્રના પરિવરજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો