એપશહેર

કોરોનાઃ સુરતમાંથી આવતી-જતી એસટી તથા ખાનગી બસો 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે

સુરતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતા તંત્ર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, બસ સેવાઓ પર વધુ એક સપ્તાહ માટે પ્રતિબંધ

I am Gujarat 5 Aug 2020, 11:17 pm
અમદાવાદ બાદ હવે સુરત ગુજરાતમાં કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે. સુરત અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે તંત્રીની ચિંતા વધી ગઈ છે. સુરતમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. જેમાં હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહાર કચેરી દ્વારા સુરતમાં આવતી અને સુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો છે.
I am Gujarat st buses and private buses ban in surat as coronavirus cases increase rapidly
કોરોનાઃ સુરતમાંથી આવતી-જતી એસટી તથા ખાનગી બસો 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે


માલવાહક વાહનો અને ટ્રકો ચાલુ રહેશે

વાહન વ્યવહાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સુરતમાં આવતી તથા સુરતથી ઉપડતી તમામ એસટી બસો અને ખાનગી સેવાઓનું સંચાલન વધુ એક સપ્તાહ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 27 જૂલાઈથી 5 ઓગસ્ટ સુધી એસટી બસોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. હવે તેને વધુ સાત દિવસ માટે એટલે કે 12 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન અન્ય ખાનગી વાહનો, ગુડ્ઝ પરિવહન વાહન ટ્રક સહિત ચાલુ રહેશે.

સુરત સિવાય રાજ્યમાં બસ સેવા યથાવત રહેશે

સુરતને બાદ કરતા રાજ્યમાં એસટી અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે. જોકે, તેમાં કોરોના વાયરસ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહપેશે. એસટી બસ તથા ખાનગી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝ જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.

સુરતમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ

ગુજરાતમાં દરરોજ સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત તથા સુરત જિલ્લામાં કુલ મળીને 237 નવા કેસ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 14,308 કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં કોરોનના કેસની સંખ્યા 200થી નીચેની રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોનાના 187 નવા કેસ સામે આવ્યા છે અને છ લોકોના મૃત્યુ થયા છે.

Read Next Story