એપશહેર

સુરતઃ શાળા ખૂલ્યા બાદ 2 શિક્ષક અને 3 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

સુરતમાં આવેલી કુલ 97 શાળાના 2320 શિક્ષકો તથા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા

I am Gujarat 21 Jan 2021, 9:21 pm
સુરતઃ કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી શાળા કોલેજો બંધ રહી હતી. થોડા દિવસો પહેલા જ સરકારે ઉચ્ચતર માધ્યમિકના વર્ગોને શરૂ કરવાની પરવાનગી આપી છે. આ સ્થિતિમાં સુરતમાં આવેલી 97 શાળા-કોલેજોમાં SMC દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ કરતા પાંચ લોકો પોઝિટિવ મળી આવ્યા છે.
I am Gujarat surat after the school reopened the reports of 3 students and 2 teachers came corona positive
સુરતઃ શાળા ખૂલ્યા બાદ 2 શિક્ષક અને 3 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ


શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ ન ઉદ્ભવે એ માટે અગમચેતીના ભાગરૂપે આજે શહેરના તમામ ઝોનમાં આવેલી શાળા-કોલેજમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

SMCએ શહેરમાં 97 શાળા કોલેજમાં કુલ 2320 શિક્ષકો તથા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવેલા છે. જેથી તમામ શાળા-કોલેજોને કોરોનાની ગાઈડલાઈનનું અચૂકપણે પાલન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કેશોદમાં કે.એ.વણપરીયા સંકુલની માધ્યમિક શાળામાં એક સાથે 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12 ક્લાસ શરૂ કરવામાં આવ્યાં છે. કે.એ. વણપરીયામાં કોરોના રેપીડ એન્ટીજન્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 11 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો