એપશહેર

માનહાનિ કેસઃ રાહુલ ગાંધીએ ગુનો કબૂલવાનો કર્યો ઈનકાર, આગામી સુનાવણી 10 ડિસેમ્બરે

Tejas Jinger | I am Gujarat 10 Oct 2019, 11:22 am
સુરતઃ ચોરની અટક મોદી જ કેમ હોય છે? આવા રાહુલ ગાંધીના નિવેદન સામે કરાયેલા માનહાનિના દાવાની સુનાવણી આજે સુરતની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ પોતાનો ગુનો કબૂલ્યો નથી. આ સાથે રાહુલ ગાંધીના વકીલ તરફથી તેમને કોર્ટમાં હાજરીથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જેની સામે ફરિયાદ પૂર્ણેશ મોદીના વકીલે આ કેસ મહત્વનો હોવાથી રાહુલ ગાંધીની હાજરી જરુરી હોવાની વાત કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બર 2019ના રોજ હાથ ધરવામાં આવશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આગામી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીની હાજરી જરુરી છે કે નહીં તે અંગે કોર્ટે નિર્ણય લઈ શકે છે.રાહુલ ગાંધી કોર્ટમાં પહોંચ્યા તે સમયનો વિડીયોકોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફરિયાદી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, મોદી નામ સાથે કરોડો લોકો જોડાયેલા છે, એટલે અમે માનહાનિનો દાવો કર્યો છે. કોર્ટમાં નહીં આવવાની માગણી કરી છે જેની સામે અમે રજૂઆત કરીશું. તેમણે ગુનાની કબૂલાત નથી કરી.
કોર્ટની કાર્યવાહી અગાઉ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે અને તેના માટે તેઓ સુરત પહોંચ્યા છે. શક્તિસિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં લલિત મોદી અને નિરવ મોદીને ચોર ગણાવ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદીને નિષ્ફળ ગણાવ્યા હતા. પરંતુ ભાજપે તેમના નિવેદનને મોદી સમાજ સાથે જોડીને તેમનું અપમાન કરાયું હોવાનું ગણાવ્યું.નોંધનીય છે કે, 16 એપ્રિલે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. પોતાની ફરિયાદમાં, સુરત-પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્યે દાવો કર્યો હતો કે 13 એપ્રિલના રોજ કર્ણાટકના કોલારમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ તેવા નિવેદનથી સમગ્ર મોદી સમાજને બદનામ કર્યો હતો કે ‘બધા ચોરની અટક મોદી જ કેમ હોય છે’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો