એપશહેર

સુરતઃ 'રત્નકલાકાર વિકાસ સંઘ'ના પ્રમુખ જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને કર્યો આપઘાત

આપઘાત કરતા પહેલા તેમણે મિત્રને ફોન કરીને કહ્યું કે હતું કે તેઓ જીવનથી અને આર્થિક સંકડામણથી કંટાળી ગયા છે

I am Gujarat 11 Sep 2020, 7:21 pm
સુરતઃ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના રોજ જ સુરતના રત્ન કલાકારોના હક માટે લડતા એવા જયસુખ ગજેરાએ ગુરુવારે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો. આર્થિક તકલીફોને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે તેમના આપઘાતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. તેમના આ પગલાથી સુરતના હીરા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે.
I am Gujarat surat diamond worker sangh leader suicide
સુરતઃ 'રત્નકલાકાર વિકાસ સંઘ'ના પ્રમુખ જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને કર્યો આપઘાત


પોલીસ ફરિયાદ મુજબ જયસુખ ભાઈએ તેમની પત્નીને કહ્યું હતું કે તેમને કામરેજ તરફ કામ છે અને ઘરે આવતા મોડું થશે તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ તેમણે નડિયાદમાં રહેતા મિત્રને ફોન કરીને કહ્યું કે હતું કે તેઓ જીવનથી અને આર્થિક સંકડામણથી કંટાળી ગયા છે અને આપઘાત કરવાના એવું જણાવ્યું હતું. તેમના મિત્રએ ફરી તેમનો કોલ કર્યો પરંતુ તેમનો ફોન બંધ આવ્યો. જેથી તેમણે જયસુખભાઈના પરિવારજોને જાણ કરી અને તેમની શોધખોળ હાથ ધરાવી. તપાસ દરમિયાન કામરેજ નજીક તાપી નદી પર આવેલા પુલ પાસથી તેમનું બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા.

ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે તેમનો મૃતદેહ મળી આવ્યો. રત્ન કલાકારોના નેતાના આપઘાત બાદ હીરા ઉદ્યોગમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે પણ રત્ન કલાકારોને વળતરમુદ્દે છૂટા કરાયા ત્યારે જયસુખભાઈ ગજેરાએ સમધાન લાવી તેમને હક અપાવ્યો છે. લોકડાઉન દરમિયાન બેકાર બનેલા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ મળી તેવી સરકારને પણ રજૂઆત કરી હતી.

Read Next Story