એપશહેર

સુરતના ખંડણીખોર વસીમની નવસારીમાં ફાયરિંગ કરીને હત્યા કરાઈ

Tejas Jinger | I am Gujarat 23 Jan 2020, 9:59 am
વસીમસુરતઃ ખંડણીખોર વસિમ બિલ્લાનું ના પડતા જ સૌથી પહેલા ખંડણીના કિસ્સા સામે આવે તે બિલ્લાનું એક ફાયરિગમાં મોત થઈ ગયું છે. અજાણ્યા લોકોએ નવસારીમાં વસીમ બિલ્લા પર ફાયરિંગ કર્યું જેમાં તેનું મોત થયું છે. વસીમ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હવે પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. આ ખંડણીખોરને સુરતમાંથી તડિવાર કરવામાં આવ્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: અનેક ગુનાઓમાં સંડોવાયેલા વસીમ બિલ્લાને તડીપાર કરવામાં આવ્યો હતો. અહીં ગેરકાયદેસર ધંધાની આડમાં અંગત અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે તે જિમમાંથી જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા લોકોએ તેના પર ફાયરિંગ કરી દીધું હતું.વસીમ પર ફાયરિંગ થયા પછી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ કેસમાં ફરાર આરોપીઓને શોધવા માટે કામગીરી શરુ કરી છે. ઘટના બની તે વિસ્તારના CCTV ફુટેજ દ્વારા પણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ કરવામાં આવી શકે છે. આ હત્યા કયા કારણોસર કરાઈ તે અંગે પણ હજુ કોઈ વિગત સામે આવી નથી.આતંકવાદીને બે મહિના સુધી પોલીસકર્મીએ પોતાના ઘરમાં રાખ્યો!!

Read Next Story