એપશહેર

સુરતઃ 30 પરિવારોએ ઈદની ઉજવણીમાં થનારા ખર્ચને બચાવીને ગરીબોનું પેટ ભર્યું

Tejas Jinger | TNN 26 May 2020, 10:11 am
સુરતઃ કોરોના વાયરસના ફેલાવા વચ્ચે દેશમાં સૌથી વધારે ગરીબોને મદદની જરુરી છે. આવામાં સુરતના પરિવારો એક થઈને આગળ આવ્યા છે. આ પરિવારોનું લક્ષ્ય ખુશીઓની વહેંચવાનો છે, આ 30માંથી મોટાભાગના મુસ્લિમ પરિવાર છે, જેઓ શહેરના લિંબાયત વિસ્તારના છે. ઈદના તહેવાર દરમિયાન આ પરિવારો દ્વારા નવા કપડા કે અન્ય વસ્તુઓની ખરીદી કરવામાં નથી આવી અને તેના કારણે બચેલા રુપિયામાંથી લોકોને મદદ કરવામાં આવી રહી છે. દોઢ લાખ રુપિયા આ પરિવારો દ્વારા બચાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ ગરીબો માટે મીઠાઈ બનાવવામાં કરાયો, 25 માર્ચથી શરુ થયેલા લોકડાઉનથી આ ગ્રુપ દ્વારા ગરીબોને મદદ કરવામાં આવી રહી છે.ઈલેક્ટ્રિશિયન ઈમ્તિયાઝ શેખે જણાવ્યું કે, “અમે સામાન્ય રીતે ભાત રાંધીને વહેંચીએ છીએ. પણ ઈદ હોવાના કારણે અમે ખીર બનાવીને બ્રેડ સાથે વહેંચી, ગરીબ પરિવારોને ઈંડા અને કેળા પણ વહેંચ્યા. અમે પાછલા બે મહિનાથી ગરીબ પરિવારોને ફુડ પેકેટ્સનું વિતરણ કરી રહ્યા છીએ.”ગુજરાતીઓએ કોરોનામાં પણ વેપાર શોધી લીધો: આવી ગયા કોરોના ખાખરા, કેક અને ધૂપટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર ઝહિર પઠાણે જણાવ્યું કે, “દરેક સભ્યો તેમની આર્થિક સ્થિતિ પ્રમાણે મદદ કરી રહ્યા છે. આ વખતે તહેવારમાં અમારામાંથી કોઈએ નવા કપડા ખરીદ્યા નથી. જ્યારે ઘણાં બધા લોકો તકલીફમાં હોય ત્યારે અમે નવા કપડા કઈ રીતે ખરીદી શકીએ?”કાપડના વેપારી ગૌતમ મેશરામે જણાવ્યું કે, “અમે આવા તકલીફના સમયમાં સાથે છીએ અને આ રીતે ઉજવણી કરી રહ્યા છીએ. એકતા તમામ તકલીફોમાંથી આપણને ઉગારી શકે છે.” આ ગ્રુપને લોકો દાનમાં અનાજ આપી રહ્યા છે અને જે કેશ મળે છે તેમાંથી શાકભાજી અને જરુરી સામાન ખરીદવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો