એપશહેર

સુરતઃ ઉધના યાર્ડમાં પડેલી વિરાર પેસેન્જર ટ્રેનમાં લાગી આગ

Hitesh Mori | I am Gujarat 19 May 2018, 7:26 pm
I am Gujarat surat fire in train at udhna railway yard
સુરતઃ ઉધના યાર્ડમાં પડેલી વિરાર પેસેન્જર ટ્રેનમાં લાગી આગ


યાર્ડમાં પડી હતી ટ્રેન

સુરતઃ ઉધના રેલવે યાર્ડમાં ઊભેલી ટ્રેનમાં અચાનક આગ લગતા ભારે અફરાતફરડી મચી ગઈ. શનિવારે યાર્ડમાં વિરાર પેસેન્જર ટ્રેન ખાલી પડી હતી. તે સમયે આગ લાગી અને થોડા સમયમાં અનેક કોચ આગની લપેટમાં આવી ગયા. ફાયબ્રિગેડે પહોંચી આગને કાબુમાં લીધી. આ મામલે રેલવે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આગ કેમ લાગી તે તપાસનો વિષય

ઉધના રેલવે સ્ટેશન ખાતે રાબેતા મુજબ મુંબઈથી આવતી વિરાર પેસેન્જર ટ્રેન રેલવે યાર્ડમાં પડી હતી. ટ્રેન ઊભી હતી તે સમેય આગ કયા કારણો સર લાગી તે તપાસનો વિષય બન્યો છે. આગની ઘટના બનાતા રેલવેના અધિકારી સહિત તમામ સ્ટાફ યાર્ડમાં પહોંચી ગયો હતો.

આગની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યાં

આગની જાણકારી ફાયરબ્રિગેડને કરતા તેઓ થોડી મિનિટોમાં પહોંચી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો. ટ્રેનમાં આગ લાગતા આજુબાજુ વિસ્તારમાંથી પણ લોકોના ટોળે ટોળા જોવા માટે પહોંચી ગયા હતા.

ત્રીજી વખત લાગી આગ

આ પહેલી ઘટના નથી કે ટ્રેનમાં આગ લાગી હોય. ઉધના રેલવે સ્ટેશન પર આગની આ ત્રીજી ઘટના છે. શા માટે વારંવાર આગ લાગી રહી છે કે કોઈ જાણી જોઈને લગાવી રહ્યું છે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો