એપશહેર

સુરતઃ રસ્તામાંથી મળેલા હીરાના બે પકેટ મૂળ માલિકને સોંપીને સફાઈ કામદારે હૃદયને સ્પર્શી જાય તેવી વાત કહી

Surat Honest Sweeper: સુરતમાં હીરાનો મોટો વેપાર છે ત્યારે અહીં છાસવારે લૂંટ અને ચોરીના કિસ્સા બનતા હોય છે. પરંતુ એક સફાઈ કામદારે જે ઈમાનદારી બતાવી છે તેના પર સુરતીઓને ગર્વ થઈ રહ્યો છે. સફાઈ કામ દરમિયાન વિનોદભાઈ સોલંકીને પાર્કિંગમાંથી હીરાના બે પેકેટ મળ્યા હતા, તેમણે લલચાયા વગર તાત્કાલિક આ હીરાના પેકેટ શેઠને પરત કર્યા હતા. આ પછી સફાઈ કામદારની ઈમાનદારી જોઈને સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Written byTejas Jingar | I am Gujarat 23 Jun 2022, 1:33 pm

હાઈલાઈટ્સ:

  • સુરતના કતારગામમાંથી સફાઈ કામદારાને મળ્યા હતા હીરા ભરેલા બે પેકેટ
  • સફાઈ કામદાર વિનોદભાઈ સોલંકીએ હીરાના પેકેટ પોતાના શેઠને પરત આપ્યા
  • નાના માણસની મોટી ઈમાનદારી જોઈને ડાયમન્ડ એસોસિએશને સન્માન કર્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
સુરતઃ ઘણાં એવા લોકો છે કે જે પોતાના પરસેવાની કમાણી પર જ વિશ્વાસ રાખે છે, પોતાની આર્થિક સ્થિતિ નબળી હોય તેમ છતાં બીજાની ધન-દોલત પર જરાય નજર બગાડતા નથી. આવી જ એક ઈમાનદારીની ઘટના સુરત શહેરમાં બની હતી કે જેમાં એક સફાઈ કામદારે હીરા મળ્યા છતાં તેને પોતાના નામે કરવાના બદલે તેને પરત આપ્યા હતા. ઈમાનદારીનું કામ કરનારા સફાઈ કામદારનું સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સફાઈ કામદારીની ઈમાનદારી પર શહેરમાં વાહવાહી થઈ રહી છે.
શહેરના કતારગામ વિસ્તારમાં નંદુડોશીની વાડીમાં આવેલા પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા. આ હીરાના પેકેટ આંગડિયા પેઢી સુધી પહોંચાડતી વખતે પડી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હીરા મળતા સફાઈ કામદાર વિનોદભાઈ સોલંકીએ તાત્કાલિક કારખાનાના માલિક સુધી બન્ને પેકેટ પહોંચાડ્યા હતા. સફાઈ કામગીરી દરમિયાન મળેલા હીરા પરત આપવા આવેલા વિનોદભાઈને જોઈને કારખાનાના માલિકને ભારે આશ્ચર્ય થયું હતું. તેમણે વિનોદભાઈની કામગીરી પર ગર્વ કરીને આ ઘટના અંગે સુરત ડાયમન્ડ એસોસિએશનને જાણ કરી હતી.

તપાસ કરતા માલુમ પડ્યું કે જે હીરાના બે પેકેટ મળ્યા હતા તે હરેશભાઈના હતા અને તે પેઢીને આપવાના હતા અને પડી ગયા હતા. આ હીરાની ખરાઈ કર્યા બાદ માલુમ પડ્યું કે તે હીરાની કિંમત રૂપિયા એક લાખ જેટલી થતી હતી. સુરતના ડાયમન્ડ એસોસિએશને વિનોદભાઈની ઈમાનદારી જોઈને તેમનું બહુમાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી એસોસિએશન દ્વારા સફાઈ કામદાર વિનોદભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંગે સુરત ડાયમન્ડ એસોસિએશનના મંત્રીએ જણાવ્યું કે, "હરેશભાઈના હીરા પડી ગયા હતા અને તે સફાઈ કામદાર વિનોદભાઈ સોલંકીએ તેમને પરત આપ્યા હતા. આ મોટી વાત એટલા માટે છે કે સફાઈ કામદારને આ જોખમ મળવું અને મૂળ માલિકને પરત કરવું તે પ્રામાણિકતાનો મોટો દાખલો છે. નાના માણસે જે પ્રામાણિકતા બતાવી છે તે બદલ અમે વિનોદભાઈનો આભાર માનીએ છીએ."

સફાઈ કામદાર વિનોદભાઈએ ઘટના અંગે વાત કરીને જણાવ્યું કે, "હું સફાઈ કામ કરતો હતો ત્યારે હીરાના બે પેકેટ મળ્યા હતા, જે મે મારા શેઠ હરેશભાઈને સોંપ્યા હતા." પોતે બતાવેલી ઈમાનદારી પર વિનોદભાઈએ જરાય ગર્વ લીધા વગર કહ્યું કે મને જે મળ્યું હતું તે મેં પરત કર્યું, મારે બીજુ કશું જોઈએ નહીં.

Read Next Story