એપશહેર

હૃદયદ્રાવક! રેલવે ટ્રેક માટે શેરડીના ઉભા પાક પર ફેરવ્યું JCB, ખેડૂત ચોધાર આંસુએ રડ્યા

અધિકારીઓની નફટાઈની હદ કહ્યું, હવે અમે અમારી જમીન છે. ખેડૂતોને હજી પણ વાંધો હોય તો તેઓ ફરિયાદ કરી શકે છે.

I am Gujarat 20 Oct 2020, 10:06 am
સુરતઃ ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી લડત ચલાવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ DFTC કંપનીએ કામગીરી શરૂ કરી છે. ત્યારે આજે તંત્ર દ્વારા ખેડૂતના ઊભા પાક પર બુલડોઝર ફેરવી નાખી 15 દિવસમાં નીકળનાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરતા ખેડૂત પોતાના ખેતરમાં જોદાર આસુએ રડી પડ્યો હતો.
I am Gujarat surat railway run jcb over standing sugarcane crop helpless farmer cry and asked for sometime
હૃદયદ્રાવક! રેલવે ટ્રેક માટે શેરડીના ઉભા પાક પર ફેરવ્યું JCB, ખેડૂત ચોધાર આંસુએ રડ્યા


મળતી માહિતી પ્રમાણે સુરતના ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે DFCC પ્રોજેક્ટ માટે ઉમરાથી ઉધના સુધીમાં 70થી 80 એકર જગ્યા ખેડૂતોની જગ્યા રિઝર્વેશન માટે મૂકી છે. ગુડ્ઝ કોરિડોર માટે 100 જેટલા ખેડૂતો સાડાત્રણ વર્ષ હાઈ કોર્ટમાં મેટર ચાલી હતી.

બજાર ભાવ પ્રમાણે વળતર આપવાના આદેશ બાદ ખેડૂતોની જીત થઈ હતી. જોકે સુપ્રીમ કોટ ગયા બાદ ખેડૂતોને જીત થી હતી. જોકે કોર્ટ હાલ નવા બજાર ભાવ પ્રમાણે ચુકવણાનો આદેશ સુપ્રીમ દ્વારા આપવામાં આવ્યો છે. 15700ની જગ્યાએ અમને 2200થી 2500 જેટલો રેલવે દ્વારા અવોર્ડ એટલે કિંમત ચૂકવવામાં આવી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને વધુ રૂપિયા ચૂકવાયા છે જોકે ખેડૂત સાથે અનિયય થી રહી છે ત્યારે આજે રેલવે ઓથોરિટી દ્વારા આ ખેડૂતના ખેતરમાં બુલડોઝર સાથે આવી પોંહચીયા હતા અને હુભ પાક પર બુલડોઝર ફેરવી નાંખ્યું હતું. જોકે અહીં ખેડૂતોનો પાક તૈયાર હતો અને આગામી 15 દિવસમાં શુગર ફેક્ટરી શરુ થવાને લઈને ખેડૂત દ્વારા આગામી 15 દિવસ પછી કામગીરી શરુ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી.

રેલવે ઓથોરિટી દ્વારા આ વાત માનવામાં નહીંઆવી ઊભા પાક પર બુલડોઝર ફેરવી નાખવામાં આવતા ખેડૂતો પોતાના ખેતરમાં રડવા લાગ્યા હતા. એકતો તંત્ર તેમની જમીન સસ્તા ભાવે લઈને તેમને નુકસાન કરી રહી છે. અને ઊભા પાકને નષ્ટ કરીને તંત્ર ખેડૂતોનું બેવડું નુકસાન કરી રહી છે.

ખેડૂત દ્વારા રેલવે ઓથોરિટીના અધિકારી થોડી માણસાઈ બતાવાની વાત કર હતી ત્યારે અધિકારી રૂપિયા આપી દીધા બાદ અમે અમારી જમીન પર આ કામ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવામાં આવ્યો છે. 29થી 30 કરોડ રૂપિયા વધારાના પણ આપવામાં આવ્યા છે. અમે અમારા નિયમ મુજબ અવોર્ડ ખેડૂતોને આપ્યો છે. હવે અમે અમારી જમીન પર છીએ. ખેડૂતોને હજી પણ વાંધો હોય તો તેઓ ફરિયાદ કરી શકે છે. તેવું કહીને પોતાની નફટાઈ બતાવી હતી.

Read Next Story