એપશહેર

સમાજ માટે લાલબત્તી: માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા સુરતના એક જ પોલીસ સ્ટેશનને મળી 390 અરજી

સુરત (Surat)માં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતી છોકરીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જણાવતા સરથાણા પોલીસ મથક (Sarthana Police Station)ના પીઆઈ એમ કે ગુર્જરે સરથાણા વિસ્તારમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, આ બાબત સમાજ માટે લાલબત્તી સમાન છે અને આ બાબત પર ગંભીરતાથી લોકોએ વિચાર કરવાની જરૂર છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 20 Jun 2022, 6:17 pm
સુરત: સુરત (Surat)માં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી છોકરીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બાબત ચિંતાનજક હોવાનું જણાવતા સરથાણા પોલીસ મથક (Sarthana Police Station)ના પીઆઈ એમ કે ગુર્જરે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ મથકમાં જ આવી 390 અરજીઓ આવી છે. તેમણે આ બાબતને સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું જણાવી માતા-પિતાને ટકોર કરી હતી કે, તેઓ સંતાનો પ્રત્યે વધુ સજાગ બને અને તેમની સાથે સમય વિતાવે.
I am Gujarat Sarathana Police Station
સુરતના સરથાણા પોલીસ મથકના પીઆઈ એમ કે ગુર્જરે એક ખાનગી કાર્યક્રમમાં સમાજને ચેતવતા જણાવ્યું હતું કે, માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માટે પોલીસ મથકમાં અરજીઓ વધી રહી છે.


સુરતના સરથાણા વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ગુર્જરે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં જ 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની છોકરીઓ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છી હોવા અંગેની 390 અરજીઓ મળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 18 વર્ષથી નાની એટલે કે, 13થી 17 વર્ષ સુધીની કિશોરીઓ માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી હોય તેવી 23 અરજીઓ મળી છે.
'ચિંતા ના કર, લગ્ન તો હું તારી જોડે જ કરીશ..' પ્રેમીની વાત પર ભરોસો મુકી પસ્તાઈ સુરતની યુવતી
તેમણે કહ્યું કે, સરથાણા પોલીસ મથકમાં જ નહીં, પરંતુ પાટીદારોની બહુમતી ધરાવતા કતારગામ, પુણા, અમરોલી, વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી છોકરીઓની અરજી આવી રહી છે, જે બાબત સમાજ માટે લાલબત્તી સમાન છે. માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા પાછળ સ્માર્ટ ફોનનું વળગણ, ઘરના વાતાવરણને જવાબદાર ઠેરવતા પીઆઈ ગુર્જરે જણાવ્યું કે, માતા-પિતાએ સંતાનો સાથે ઘરસભા કરી સમય પસાર કરવો જોઈએ અને તેમની સાથે મિત્રતા જેવું વર્તન કરવું જોઈએ.
સુરતઃ 6 વર્ષ સાથે ફરીને યુવકને પ્રેમ કર્યો લગ્ન થયા એવો અમેરિકા ભાગી ગયો
તેમણે કહ્યું કે, મોબાઈલનો જે ક્રેઝ વધ્યો છે અને તેના દુરુપયોગને કારણે બાળકોની માનસિકતા બદલાય છે અને બાળકો ખોટા રસ્તે જઈ રહ્યા છે. તેમણે વાલીઓને સલાહ આપી કે, બાળક મોડી રાત સુધી મોબાઈલમાં શું કરે છે? તે ઘરની બહાર નીકળે ત્યારે તે ક્યાં જાય છે? વગેરે પર ધ્યાન રાખવું જોઈએ.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story