એપશહેર

સુરતઃ આતંકીઓનો ભોગ બનેલા સુમિત્રાબેનને પાંચેય દીકરીઓએ આપ્યો અગ્નિદાહ

Hitesh Mori | I am Gujarat 12 Jul 2017, 8:38 pm
I am Gujarat surat tourist sumitraben death in amarnath attack
સુરતઃ આતંકીઓનો ભોગ બનેલા સુમિત્રાબેનને પાંચેય દીકરીઓએ આપ્યો અગ્નિદાહ


અમરનાથ યાત્રા પર આતંકી હુમલો

અમરનાથ યાત્રા દરમિયાન સોમવારે આતંકવાદીઓ ગોળીનો ભોગ બનેલા સુરતના 63 વર્ષીય સુમિત્રાબેનના મૃતદેહને બુધવારે તેમની પાંચેય દીકરીઓએ કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો.

સંતાનમાં પાંચ દિકરી

સુમિત્રાબેન (ફાઈલ તસવીર) નવસારીના મોહનભાઈ પટેલ પરિવાર સાથે સુરતના જહાંગીરપુરાની શ્રીશ્રદ્ધા સોસાયટીમાં રહેતા હતા. મોહનભાઈ અને સુમિત્રાબેનને સંતાનમાં 5 પુત્રીઓ હતી. જે તમામના લગ્ન થઈ ચૂક્યા છે. 2008માં મોહનભાઈનું મૃત્યુ થયા બાદ સુમિત્રાબેન તેમની પુત્રીઓના ઘરે રહેવા માટે જતા હતા. હાલમાં તેઓ સરથાણા ખાતે રહેતી તેમની પુત્રી અમિષાના ઘેર રહેતા હતા.

સમગ્ર પરિવાર શોકમગ્ન

સોમવારે રાત્રે આતંકવાદીએ બસને નિશાન બનાવી. અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 7 યાત્રીઓ મોતને ભેટ્યા જેમાં સુમિત્રાબહેન પણ હતા. અમરનાથ યાત્રામાં સુમિત્રાબેન સાથે તેમની પુત્રી સાવિત્રીબેન પણ સાથે જ હતી. જોકે તેમને કોઈ ઈજા પહોંચી નથી. માતાના મોત બાદ પાંચેય દિકરઓ સાથે સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો