એપશહેર

સુરતની આ કંપની Jioના નામે ઘઉંના લોટનું કરતી હતી વેચાણ, ચારની ધરપકડ

રિલાયન્સ જિયો બ્રાન્ડથી આવા કોઈ ખેતીવાડી ઉત્પાદન વેચતું નથી. ત્યારે આ ભેજાબાજોએ JIOના નામે શરૂ કર્યો હતો વેપાર

I am Gujarat 21 Jan 2021, 4:07 pm
સુરતઃ સોશિયલ મીડિયામાં વાઈરલ થતી બાબતો ઘણી વખત ગેરમાર્ગે દોરતી હોય છે. આવી જ એક ઘટના સામે સુરતમાં આવી છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો વાઈરલ થયા હતા જેમાં જિયો કંપનીના નામે ઘઉંનો લોટ વેચાઈ રહ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે આ ઘટનાની તપાસ કરતા તેના મૂળિયા સુરતમાં નીકળ્યાં. પોલીસે રિલાયન્સ જિયો ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે.
I am Gujarat the surat based company was selling wheat flour in the name of jio arresting four people
સુરતની આ કંપની Jioના નામે ઘઉંના લોટનું કરતી હતી વેચાણ, ચારની ધરપકડ


જિયોના બ્રાન્ડનેમ અને લોગોનો ઉપયોગ કરીને સુરતના સચિન વિસ્તારમાં રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે સુરત ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા માટે રામ ક્રિષ્ણ ટ્રેડલિન્ક નામની કંપની વિરુદ્ધ રિલાયન્સ જિયોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમે આ મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.'

પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની એ રિલાયન્સ કંપનીના ટ્રેડ માર્ક એવા "Jio"ના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરી ઘઉંનો લોટ ભરવાની બોરી ઉપર આ લોગો તથા ડિઝાઇન છાપી બજારમાં વેચાણ કર્યું હતું. પરંતુ રિલાયન્સ જિયો બ્રાન્ડથી આવા કોઈ ખેતીવાડી ઉત્પાદન વેચતું નથી. આ તમામ લોકોએ પોતાના આર્થિક લાભ મેળવવા રિલાયન્સના ટ્રેડ માર્કનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. માટે આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે આ ફરિયાદ કરવામાં હતી.

Read Next Story