એપશહેર

વર્ષોથી બાળકની કિલકારીની રાહ જોઈ રહ્યુ હતું દંપતી, પત્નીના મૃત્યુના 12 જ દિવસ પછી સરોગેટ મધરે આપ્યો દીકરીને જન્મ

સુરતમાં એક ભાવુક કરનારી ઘટના સામે આવી છે. અહીં દમણમાં રહેતા પ્રમેશ શાહ(નામ બદલવામાં આવ્યુ છે)ના પત્નીના અવસાનના 12 જ દિવસ પછી સરોગેટ મધરે તેમની બાળકીને જન્મ આપ્યો હતો. પ્રમેશ અને તેમના પત્ની લાંબા સમયથી બાળકના આગમનની રાહ જોઈ રહ્યા હતા. તેમના પત્નીને ગર્ભાશયનું કેન્સર થયુ હતું. પ્રમેશના પત્ની આ દુનિયા છોડીને ગયા પરંતુ પતિને કિંમતી ભેટ આપતા ગયા.

Edited byZakiya Vaniya | TNN 30 Jun 2022, 10:22 am
I am Gujarat surat
પ્રતિકાત્મક તસવીર

સુરત- 27મી જૂનના રોજ એક મિકેનિકલ વર્કશોપમાં મજૂરીકામ કરનારા 46 વર્ષીય પ્રમેશ શાહ(નામ બદલવામાં આવ્યું છે)ની ખુશીનો કોઈ પાર નહોતો. તે ખુશ તો હતા જ પરંતુ સાથે સાથે ઘણાં ભાવુક પણ હતા. તેમના બીમાર પત્ની જતા જતા તે અમૂલ્ય ભેટ આપતા ગયા છે તે પ્રમેશ શાહને આજીવન ખુશી આપવા માટે સક્ષમ છે. બુધવારના રોજ પ્રમેશ શાહની આંખોમાં આંસુ હતા અને હાથમાં હતું બે દિવસનું બાળક. દમણના રહેવાસી પ્રમેશ શાહ જણાવે છે કે, હું મારી પત્નીને તો બચાવી નથી શક્યો પણ ઈશ્વરે મને દીકરીના સ્વરુપમાં પત્ની પાછી આપી છે.

છ વર્ષ પહેલા થયા હતા લગ્ન

પ્રમેશના પત્નીના અવસાનના માત્ર બાર દિવસ પછી સરોગેટ માતાએ આ દીકરીને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓને કારણે 15મી જૂનના રોત પ્રમેશના પત્નીનું નિધન થયુ હતું. પ્રમેશના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. પ્રમેશ શાહના જીવનમાં ખુશીઓ આમ પણ મોડી આવી હતી. પહેલા તો યોગ્ય જીવનસાથી મેળવવા માટે તેમણે લાંબો સમય રાહ જોવી પડી હતી. ત્યારપછી માતા-પિતા બનવા માટે પણ આ કપલે ઘણી રાહ જોવી પડી હતી.

તબીબે આપી હતી સરોગસીની સલાહ

લગ્ન સમયે પ્રમેશની ઉંમર 44 અને તેમના પત્ની ગૌરી(નામ બદલવામાં આવ્યું છે)ની ઉંમર 47 વર્ષ હતી. તેમણે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ગર્ભધારણમાં સમસ્યા આવતી હતી. અનેકવાર ગર્ભપાત થવાને કારણે તેઓ ઘણાં હતાશ થઈ ગયા હતા. તબીબોની મદદ લેવામાં આવી પરંતુ કોઈ પરિણામ નહોતુ મળતું. ત્યારપછી તેમણે એક ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લીધી હતી, જ્યાં સરોગસીના માધ્યમથી માતા-પિતા બનવાની સલાહ આપવામાં આવી હતી.

જંગલી ડુક્કરે ફોડી નાખ્યાં સારસ પક્ષીના ઈંડા, 55 દિવસથી તેની સંભાળ રાખી રહેલા ગણાસરના ગ્રામજનો દુઃખી
ગર્ભાશયના કેન્સરનો શિકાર બન્યા મહિલા

અનેકવાર ગર્ભપાત થવાને કારણે ગૌરીનું સ્વાસ્થ્ય કથળી ગયુ હતું. વધારે તપાસ માટે ગૌરીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા જ્યાં જાણવા મળ્યું કે તેમને ગર્ભાશયનું કેન્સર છે. સ્થિતિ ગંભીર હોવાને કારણે તેમના પ્રજનન અંગો પણ કાઢવા પડ્યા હતા. ગાયનેકોલોજીસ્ટ આ કેસ બાબતે જણાવે છે કે, ગૌરીએ કીમોથેરાપીમાંથી પસાર થવુ પડ્યુ હતું જેના કારણે તેમના પ્રજનન અંગોને ખૂબ નુકસાન પહોંચ્યુ હતું. ત્યારપછી આ દંપત્તીએ મારો સંપર્ક કર્યો હતો. તેઓ માતા-પિતા બનવાની આશા સાથે મારી પાસે આવ્યા હતા.

છ વર્ષ પહેલાં 8 વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યા કરનારા આરોપીને ફાંસીને સજા
ડોક્ટરે આગળ જણાવ્યું કે, અમારી પાસે તેમના ફ્રોઝન એગ્સ હતા જેનો ઉપયોગ સરોગેટ મધરના માધ્યમથી કરવામાં આવ્યો. તેઓ માતા-પિતા તો બન્યા પરંતુ બાળકીના જન્મના થોડા દિવસ પહેલા જ માતાનું અવસાન થઈ ગયું. હવે એકલા હાથે દીકરીનો ઉછેર કરવા માટે તૈયાર પિતા જણાવે છે કે, અમે બન્ને પોતાનું બાળક ઈચ્છતા હતા. મેડિકલ ટેક્નોલોજીને કારણે મારી દીકરી હવે મારી સાથે રહેશે. મારી પત્ની મેં ગુમાવી, પણ મારી દીકરીને તો હું જોઈ શકીશ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો