એપશહેર

સુરત: પોલિયોની રસી અપાયાના બીજા દિવસે જુડવા બાળકોના મોત થતાં જોરદાર હોબાળો

નવરંગ સેન | I am Gujarat 10 Oct 2019, 3:20 pm
સુરત: કામરેજના આરોગ્ય કેન્દ્રમાં પોલિયોની રસી અપાયા બાદ આજે બે જુડવા બાળકોના મોત થતાં જોરદાર હોબાળો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકોને બુધવારે રસી આપવામાં આવી હતી. જોકે, આજે સવારે બાળકોના મોત થતાં તેમના પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, અને તંત્ર દોડતું થઈ ગયું હતું. પરિવારજનોએ આ ઘટનામાં તબીબો પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મૃતક બાળકોનો જન્મ 20 સપ્ટેમ્બરના રોજ થયો હતો. તેમને ગઈકાલે પોલિયોની રસી આપવામાં આવી હતી. બાળકોના પરિવારજનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે બાળકોને રસી મૂકવામાં આવી હતી. રસી બાદ બાળકોને થોડો તાવ આવશે તો ગભરાશો નહીં તેવું પણ કહેવાયું હતું. જોકે, આજે સવારે બાળકોને જગાડ્યા તો તેઓ જાગ્યા નહીં તેથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ એવો પણ દાવો કર્યો હતો કે રસી મૂકાવતા પહેલા બિલકુલ સ્વસ્થ હતા, તેમને કોઈ બીમારી નહોતી. તેવામાં રસી મૂકાવવાને કારણે જ બાળકોના મોત થયા હોય અને તેમાં ડોક્ટરોની બેદરકારી છે તેવું દેખાઈ આવે છે. તેમણે એવું પણ કહેવું છે કે, જ્યાં સુધી ફોરેન્સિક પીએમ રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાંથી નહીં હટે. બાળકોના મોતનું ખરું કારણ જાણવા માટે તેમના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. બાળકોના ફોરેન્સિક પીએમ પણ કરાશે. બીજી તરફ, ડોક્ટરોનું માનીએ તો, બાળકોને રસી ગઈકાલે બપોરે 12 વાગ્યે આપવામાં આવી હતી. જો રસીનું રિએક્શન આવવાનું જ હોય તો તે અડધા કલાકમાં જ આવી જાય છે. આ ઘટનામાં રસી અપાયાના 16 કલાક જેટલા સમય બાદ બાળકોના મોત થયા છે. હાલ પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. ડૉક્ટરોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. જોકે, બાળકોના મોતનું ખરું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો