એપશહેર

આ ઘટનાને કારણે સુરતીઓ ઉજવે છે વાસી રક્ષાબંધન

Hitesh Mori | I am Gujarat 15 Aug 2019, 11:05 pm
સુરતઃ ભાઈ બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા પર્વ રક્ષાબંધનની આજે સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉન્માદ સાથે ઉજવણી થઈ. સામાન્ય રીતે શ્રાવણની પૂર્ણિમાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય છે. પરંતુ સુરતમાં રહેતા મૂળ સુરતીઓ રક્ષાબંધન નહીં પરંતુ વાસી રક્ષાબંધન(વાસી બળેવ) ઉજવે છે એટલે કે પૂર્ણિમાના બીજા દિવસે. અંદાજીત 90 વર્ષ પહેલા બનેલી ગોઝારી ઘટનાને કારણે તળ સુરતના લોકો પૂર્ણિમાના બીજા દિવસે વાસી રક્ષાબંધન પર્વ મનાવે છે. હાલમાં જે જગ્યા પર શનિવારી બજાર ભરાય છે ત્યાં પહેલા રક્ષાબંધન પર મેળો ભરાતો હતો. લગભગ 1928માં રક્ષાબંધનના મેળામાંથી 52 લોકો હોડીમાં બેસીને રાંદેર ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાતા હોડીમાં બેસેલા તમામ લોકો તાપીમાં ડૂબી મૃત્યુ પામ્યા હતા. જેમા મૂળ સુરતીઓ જેવા કે, ખત્રી, ઘાંચી, રાણા, કણબી સમાજના લોકો હતો. આ ઘટના બાદ સમાજના લોકોએ નક્કી કર્યું કે તેઓ રક્ષાબંધનના બીજા દિવસે વાસી રક્ષાબંધન ઉજવશે. ત્યારથી આજ દિન સુધી સુરતીઓમાં વાસી રક્ષાબંધન ઉજવવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો