એપશહેર

અમરોલીમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યા, માલિકે કારીગરોને છૂટા કરતા લીધો ભયંકર બદલો

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંતા ટેક્સો નામનું કારખાનું આવેલું છે. અહીં કારખાનાના માલિકે કારીગરોને છૂટા કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં ઝઘડો કર્યો હતો. થોડીવાર પછી કારીગરો પાછા ફર્યા હતા અને કારખાનાના માલિક અને તેમના પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે કારીગરોએ એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખી હતી.

Authored byમનીષ કાપડિયા | I am Gujarat 25 Dec 2022, 1:37 pm

હાઈલાઈટ્સ:

  • અમરોલીમાં આવેલા અંજની ઈન્ડ્રસ્ટ્રીયલમાં ત્રણ લોકોની હત્યા
  • નોકરીમાંથી કાઢી મૂકતા કારીગરોએ કરી એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા
  • હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat surat amroli tripple murder
કારખાનાના માલિકે કારીગરોને છૂટા કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં ઝઘડો કર્યો હતો.
સુરતઃ સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતુ જાય છે. હત્યા, લૂંટ, ચોરી, બળાત્કાર જેવા ગુનાઓમાં ખાસો એવો વધારો થયો છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરમાંથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અમરોલી વિસ્તારમાંઆવેલી અંજની ઈન્ડસ્ટ્રીયમાં કારખાનાના માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરીને બે કારીગરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યા હતા. બનાવના પગલે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, કારીગરને નોકરીમાંથી છૂટો કરતા તેણે તેના સાગરિત સાથે મળીને એક જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંતા ટેક્સો નામનું કારખાનું આવેલું છે. અહીં કારીગરો દ્વારા ખૂની ખેલ ખેલાયો હતો. કારખાના માલિકે કારીગરને છૂટો કરતા પહેલાં વિવાદ સર્જાયો હતો. આ વાતને લઈને કારીગર ઉકળી ઉઠ્યો હતો. બાદમાં તે પોતાના કોઈ સાગરિતને લઈને કારખાને આવ્યો હતો. જ્યાં આ બંને શખસોએ કારખાના માલિકો પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પાના ઘા મારીને બંને આરોપીઓએ એક જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પિતા પુત્ર પર જીવલેણ હુમલો થતા મામા પણ છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપીઓએ તેમના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં કારખાનાના માલિક સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા થઈ હતી.
બોયફ્રેન્ડ ઉત્તરાખંડમાં રખડી રહ્યો હતો અને તેની પરીક્ષા આપવા બેઠી યુવતી, પકડાઈ જતા મુશ્કેલીમાં મૂકાઈ
અન્ય કારખાનેદારોમાં પણ રોષ
આરોપીઓ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે આસપાસના લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ ઘટના બાદ અન્ય કારખાનેદારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકોના પરિવારોએ એવી ચીમકી આપી હતી કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં.
બ્રેકઅપ પછી પણ હાથ ધોઈને પાછળ પડ્યો પ્રેમી, અંગત ફોટા બતાવીને તોડાવી નાખી પ્રેમિકાની સગાઈ
નોકરીમાંથી કાઢી મૂકતા કરી હત્યા
તો આ ત્રિપલ મર્ડર કેસ બાદ પોલીસે પણ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને પણ એમાં સફળતા હાથ લાગી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક રિપોર્ટ એવા આવ્યા છે કે વેદાંત ટેક્સોના માલિકે કારીગરોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેને લઈને છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. જે બાદ કારીગરોએ આ વાતનો બદલો લીધો હતો અને એક જ પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે પોલીસે પણ આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Latest Surat News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story