વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત અઠવાડિયે રેન્ડમલી 25 કેદીઓના નમૂનાઓમાંથી 18નો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફટાટ મચી ગયો છે. જો કે, તમામ 18 કેદીઓને એસએસજી હોસ્પિટલના સ્પેશિયલ કોવિડ -19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેલ સુપરિટેન્ડન્ટ બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, 'અમે 60 વર્ષથી ઉપરના કેદીઓના રેન્ડમ નમૂના લીધા હતા. અમે જેલ કર્મચારીઓની પણ ઓળખ કરી છે જે આ કેદીઓના સંપર્કમાં આવ્યા હતા.' રવિવારે જેલના પાંચ કર્મચારીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે. જોકે હજી તેમના રિપોર્ટ આવવાના બાકી છે.
આ અગાઉ પણ બે કેદીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદની હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવેલા કેદીઓમાંથી એકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેણે સાથે સંપર્કમાં રહેલા અન્ય કેદીને વાયરસનો ચેપ લગાવી દીધો હતો. સેન્ટ્રલ જેલમાં 1300થી વધુ કેદીઓ છે જેમાં અંડર-ટ્રાયલ અને અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ ડિટેઈન કરવામાં આવ્યા છે.
જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેદીઓ અને જેલ કર્મચારીઓમાં વાયરસ ન ફેલાય તેની ખાતરી કરવા માટે તેઓ સાવચેતી રાખી રહ્યા છે અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. વાઘેલાએ જણાવ્યું કે, 'જેલમાં આવનારા કોઈપણ નવા કેદીને બે અઠવાડિયા માટે અલગ બેરેકમાં એકાંતમાં રાખવામાં આવે છે. સમયગાળો પૂરો થયા પછી જ તેમને નિયમિત બેરેકમાં ખસેડવામાં આવે છે.'
રવિવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં કોરોનાના નવા 79 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસો માંજલપુર, વાઘોડિયા રોડ, ગોરવા, આજવા રોડ, કારેલીબાગ, વારસીયા, અકોટા, દંતેશ્વર, છાની, સમા, ફતેહગંજ, ગોત્રી રોડ, તરસાલી, રિફાઇનરી રોડ, તાંદલજા, સંગમ ચોક, વાસણાથી વીએમસીની હદમાં આવેલા વિસ્તારોમાંથી સામે આવ્યા છે.
આ અગાઉ પણ બે કેદીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદની હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવેલા કેદીઓમાંથી એકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેણે સાથે સંપર્કમાં રહેલા અન્ય કેદીને વાયરસનો ચેપ લગાવી દીધો હતો. સેન્ટ્રલ જેલમાં 1300થી વધુ કેદીઓ છે જેમાં અંડર-ટ્રાયલ અને અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ ડિટેઈન કરવામાં આવ્યા છે.
જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેદીઓ અને જેલ કર્મચારીઓમાં વાયરસ ન ફેલાય તેની ખાતરી કરવા માટે તેઓ સાવચેતી રાખી રહ્યા છે અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. વાઘેલાએ જણાવ્યું કે, 'જેલમાં આવનારા કોઈપણ નવા કેદીને બે અઠવાડિયા માટે અલગ બેરેકમાં એકાંતમાં રાખવામાં આવે છે. સમયગાળો પૂરો થયા પછી જ તેમને નિયમિત બેરેકમાં ખસેડવામાં આવે છે.'
રવિવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં કોરોનાના નવા 79 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસો માંજલપુર, વાઘોડિયા રોડ, ગોરવા, આજવા રોડ, કારેલીબાગ, વારસીયા, અકોટા, દંતેશ્વર, છાની, સમા, ફતેહગંજ, ગોત્રી રોડ, તરસાલી, રિફાઇનરી રોડ, તાંદલજા, સંગમ ચોક, વાસણાથી વીએમસીની હદમાં આવેલા વિસ્તારોમાંથી સામે આવ્યા છે.