એપશહેર

આર્થિક નબળા પાટીદારોને 25 % અનામત આપવી જરૂરી: આઠવલે

I am Gujarat 24 Sep 2016, 2:27 am
નવગુજરાત સમય > વડોદરા
I am Gujarat 25 10
આર્થિક નબળા પાટીદારોને 25 % અનામત આપવી જરૂરી: આઠવલે


– વડોદરાની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજયમંત્રી રામદાસ આઠવલેએ ગુજરાતમાં આર્થિક નબળા પાટીદારોને ૨૫ ટકા અનામત આપવાની તરફેણ કરી હતી.
વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પર ગુજરાતમાં અનામતના મુદ્દે તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાત જેવી જ હાલત મહારાષ્ટ્રની છે, મરાઠા કોમ્યુનિટીની પણ આ જ પ્રકારની લાગણી છે, જે પ્રકારની લાગણી પાટીદારોનુ નેતૃત્વ લઇને હાર્દિક પટેલ જંગ લડી રહ્યો છે. દેશના અનેક ભાગોમાં આ પ્રકારની લાગણી છે, જેઓ એસએસી, એસટી, ઓબીસીનો સમાવેશ નથી તેવા જનરલ કેટેગરીમાં પણ અનામતની લાગણી વધતી જાય છે, તેમાં હું વ્યક્તિગત રીતે માનુ છુ, જેઓ આર્થિક રીતે નબળા છે તેઓની ૨૫ ટકા અનામત રાખવી જરૂરી છે. જે બંધારણની દૃષ્ટિએ શક્ય નથી, પરંતુ તેના માટે બંધારણમાં ફેરફાર કરવા જરૂરી છે, નહીં તો સામાજિક યુનિટી મુશ્કેલી બનશે.

ઉનાના મુદ્દે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનું થયું હતુ, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ થઇ ગઇ છે, ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારોને આર્થિક મદદ પણ આપવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારના કોઇ પણ જગ્યાએ બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે ખૂદ વડાપ્રધાને પણ આવા ગૌરક્ષોની ટીકા કરીને તેમનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. આવા સંવેદનશીલ મુદ્દાઓને રાજકીય રૂપ ન આપવુ જોઇએ.
કેન્દ્રીય રાજયમંત્રી આઠવલેએ વધુમાં જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશમાં બીએસપીથી હાલમાં દલિતો નારાજ થઇ રહ્યા છે, તેની સામે આરપીઆઇનુ રાજકીય અસ્તિત્વ ઉત્તરપ્રદેશમાં યોગ્ય નથી, પરંતુ અમે મહેનત કરીશુ તો ચોક્કસ દલિતોના મત ખેંચી શકીશુ. એટલે અમે એનડીએના ભાગીદાર તરીકે ભાજપ પાસે કેટલીક બેઠકોની માંગણી કરીશુ. જો ભાજપ નહીં આપે તો અમે બસોથી અઢીસો બેઠક પર અમારા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારીશુ તે નક્કી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો