એપશહેર

2002 રમખાણો કેસનાં 27 આરોપીઓ નિર્દોષ જાહેર, દુષ્કર્મ- હત્યાકાંડ સહિતના ગુના નોંધાયા હતા

કાલોલ અને નજીકના વિસ્તારોમાં ગેંગરેપ અને હત્યાકાંડ સિહતના તોફાનો અંગે આરોપીઓ વિરૂદ્ધ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં 39માંથી 12 આરોપીઓ તો કેસની સુનાવણી દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા. કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.

Authored byParth Vyas | I am Gujarat 2 Apr 2023, 11:18 am

હાઈલાઈટ્સ:

  • હત્યાકાંડ, ગેંગરેપ સહિત અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા
  • અંબિકા સોસાયટી નજીક 11 વ્યક્તિઓનો હત્યાકાંડ થયો હતા
  • પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat file pic
ફાઈલ ફોટો
વડોદરાઃ પંચમહાલ જિલ્લાના હાલોલની સેશન્સ કોર્ટે 2002 પછીના ગોધરા રમખાણોના આઠ કેસોના સંબંધમાં 27 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આઠ કેસમાં 39માંથી 12 આરોપીઓ કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.
આરોપીઓ સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં 1 માર્ચના દિવસ કાલોલ અને નજીકના વિસ્તારોમાં હત્યાકાંડ, ગેંગરેપ અને અન્ય સહિત વ્યાપક તોફાનો અંગે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. બચાવ પક્ષના વકીલોમાંથી એક વિજય પાઠકે જણાવ્યું હતું કે, "કોર્ટે તે સમયે નોંધાયેલા આઠ અલગ-અલગ ગુનાઓ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો, જેના સંદર્ભમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી." આ ગુનાઓમાં હત્યા, ગેંગરેપ, રમખાણો, આગચંપી અને પુરાવાનો નાશ કરવાનો સમાવેશ થાય છે.

11 લોકોની હત્યા કરી આગ ચાંપી દેવાઈ
સૌથી નોંધપાત્ર કેસ કલોલમાં અંબિકા સોસાયટી નજીક 11 વ્યક્તિઓનો હત્યાકાંડ હતો. જ્યારે ત્યાં રમખાણોને પગલે લઘુમતી સમુદાયના સભ્યો દેલોલમાંથી ભાગી રહ્યા હતા. કુલ મળીને, 38 વ્યક્તિઓ દેલોલથી નીકળી ગયા હતા, પરંતુ જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે પલટી ખાઈ ગયું હતું. આ દરમિયાન એક ટોળાએ જૂથને નિશાન બનાવ્યું ને પછી તેમાંના 11ની હત્યા કરી અને તેમના શરીરે આગ ચાંપી દીધી હતી.

પોલીસે ગોળીબાર કરતા મામલો બિચક્યો!
અન્ય ગુનાઓમાં એક વ્યક્તિની હત્યા અને પછી ધાર્મિક સ્થળની નજીક આગ ચંપી દેવાનો, એક મહિલા પર દુષ્કર્મ અને રમખાણો અને આગચંપી માટે અન્ય ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. તત્કાલિન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર જે પાટીલ સામે પણ આમાંના કેટલાક કેસોમાં તપાસ ખોરવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થતાં આ વિસ્તારમાં વ્યાપક અફરાતફરી પણ ફેલાઈ ગઈ હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટોળાએ વાહનને આગ લગાવી દીધી હતી.

Read Next Story