એપશહેર

નડિયાદ રોડ પર રિક્ષા ઉપર ઝાડ પડતાં 3 મહિલાનાં મોત

I am Gujarat 20 Sep 2016, 2:59 am
નવગુજરાત સમય > આણંદ
I am Gujarat 3 18
નડિયાદ રોડ પર રિક્ષા ઉપર ઝાડ પડતાં 3 મહિલાનાં મોત


– ખેડા જિલ્લાના નડિયાદ- મહેમદાવાદ રોડ ઉપર અરેરા ગામના પાટીયા પાસે સોમવારે સવારે પસાર થતી રિક્ષા ઉપર બાવળનું સુકુ ઝાડ ધરાશાયી થતાં મુસાફરી કરી રહેલી બે શિક્ષિકા સહિત ત્રણ મહિલના મોત નીપજ્યાં હતા. જયારે બે વિદ્યાર્થી સહિત ત્રણ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા હતા.

નડિયાદમાં માઈ મંદિર પાસેની રણછોડરાય સોસાયટીમાં રહેતા અને અરેરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હર્ષિદાબેન કાળીદાસ પટેલ રિક્ષામાં સ્કૂલે જતા હતા. સોમવારે તેઓની સાથે અંધેજ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા લતાબેન મણીભાઈ મકવાણા તેમજ અરેરા ગામની આંગણવાડીમાં સંચાલિકા તરીકે ફરજ બજાવતાં રીનાબેન પણ રિક્ષામાં બેઠા હતા. સવારે દસ વાગ્યાના સુમારે રિક્ષા અરેરા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક બાવળનું સુકુ ઝાડ રિક્ષાની ઉપર ધરાશાયી થયું હતું. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણેય મહિલાઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમની સાથે અરેરા સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ અને રિક્ષાચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો