ભરૂચ: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી જતા રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેના કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી સીઝનમાં પહેલીવાર નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થતાં તેની સપાટીમાં ભયજનક વધારો થઈ રહ્યો છે. જેના પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લા કલેક્ટરનું ટ્વિટ
ભરૂચના જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને કહ્યું કે, ' સરદાર સરોવર ડેમ ખાતેથી હાલમાં 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકો નદી કિનારે ન જવા તેમજ સાવચેત રહેવા અનુરોધ છે. કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગોમાં જિલ્લાના કંટ્રોલરૂમ નંબર 02642242300 પર સંપર્ક કરવો.'
ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું કે, સરદાર સરોવર ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકો નદી કિનારે ન જવા તેમજ સાવચેત રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. સાંજ સુધીમાં સરદાર સરોવર ડેમમાંથી 5-6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. જેને લઈને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નર્મદા નદીના નીચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે.
નર્મદા નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયાસ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતાં રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા બાદ સીઝનમાં પહેલીવાર શુક્રવારે ડેમના 10 દરવાજાને 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ આજે સવારે 23 દરવાજા ખોલીને4 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના આઉટફ્લોથી નર્મદા નદી બન્ને કાંઠે વહી રહી છે. જેના પગલે નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા કલેક્ટરનું ટ્વિટ
ભરૂચના જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને કહ્યું કે, ' સરદાર સરોવર ડેમ ખાતેથી હાલમાં 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકો નદી કિનારે ન જવા તેમજ સાવચેત રહેવા અનુરોધ છે. કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગોમાં જિલ્લાના કંટ્રોલરૂમ નંબર 02642242300 પર સંપર્ક કરવો.'
નર્મદા નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયાસ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતાં રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરાયા બાદ સીઝનમાં પહેલીવાર શુક્રવારે ડેમના 10 દરવાજાને 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ આજે સવારે 23 દરવાજા ખોલીને4 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના આઉટફ્લોથી નર્મદા નદી બન્ને કાંઠે વહી રહી છે. જેના પગલે નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.